ધર્મગુરુઓએ ક્રિતી સેનનને કરેલા ચુંબનના વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને અત્યંત નિંદનીય ગણાવ્યો છે
આદિપુરુષની બોક્સ ઓફિસ રિલીઝ પહેલાં, નિર્માતાઓએ મંગળવારે તિરુપતિમાં ફિલ્મનું અંતિમ ટ્રેલર રિલીઝ કર્યું. ટ્રેલર
લૉન્ચ થયા બાદ ક્રિતી સેનન અને ઓમ રાઉતે વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી.
પરિસરમાંથી બહાર નીકળતી વખતે ઓમ રાઉતે ક્રિતીને ગાલ પર ચુંબન કર્યું અને તેને ગળે
લગાડી. મંદિર પરિસરમાં ડાયરેક્ટરના આ વર્તનથી લોકો નારાજ છે. આ બાબતને લઈને
ધર્મગુરુઓએ કહ્યું હતું કે બંનેએ હોટલના રૂમમાં જવું જોઈએ.
તમારું વર્તન દેવી
સીતાનું અપમાન કરવા જેવું છે - પૂજારી
ધર્મગુરુઓએ ક્રિતી સેનનને કરેલા ચુંબનના વીડિયો સામે વાંધો ઉઠાવ્યો છે અને
તેને અત્યંત નિંદનીય ગણાવ્યો છે. પૂજારીએ કહ્યું- 'આ નિંદનીય કૃત્ય છે.
પતિ-પત્ની પણ ત્યાં સાથે નથી જતાં. તમે હોટલના રૂમમાં જઈને આ કરી શકો છો. તમારું
વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે.
બીજેપી સેક્રેટરી
ગુસ્સે થયા, બાદમાં પોસ્ટ ડિલિટ કરી
વીડિયો શેર કરતી વખતે યુઝર્સ પોતાનો ગુસ્સો ઓમ રાઉત પર ઠાલવી રહ્યા છે.
બીજેપીના રાજ્ય સચિવ રમેશ નાયડુને આ વાત ઉશ્કેરણીજનક લાગી. આના પર વાંધો ઉઠાવતાં
તેણે ક્રિતી અને ઓમ રાઉતને પણ ટેગ કર્યાં. રમેશ નાયડુએ લખ્યું- 'શું મંદિર જેવા પવિત્ર
સ્થાન પર આવાં કૃત્યો કરવાં જરૂરી છે? ભગવાન વેંકટેશ્વર સ્વામીના
મંદિરમાં આ રીતે ચુંબન કરવું અને ગળે લગાડવું અપમાનજનક છે. જોકે હવે રમેશે પોતાનું
ટ્વીટ ડિલિટ કરી દીધું છે.
ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો
અગાઉ નિર્માતાઓએ ગયા વર્ષે દશેરાના અવસર પર
અયોધ્યામાં 'આદિપુરુષ'નું ભવ્ય ટીઝર લોન્ચ કર્યું હતું, જેને દર્શકોનો ખૂબ જ નબળો
પ્રતિસાદ મળ્યો હતો. પાત્રોના ખરાબ દેખાવ અને VFXને કારણે ફિલ્મની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. આટલું જ નહીં, નિર્માતાઓ પર ધાર્મિક ભાવનાઓને
ઠેસ પહોંચાડવાનો પણ આરોપ છે અને એના પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. જોકે
મેકર્સે ગયા મહિને મે મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મના નવા ટ્રેલરમાંથી તમામ
વિવાદાસ્પદ સીન હટાવી દીધા હતા. VFX પણ પહેલાં કરતાં ઘણું સારું બનાવવામાં આવ્યું હતું.