કચ્છ જિલ્લામાં 100 પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક
રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી પ્રાથમિક શાળાઓની સંખ્યા 700 છે. સૌથી વધારે કચ્છ જિલ્લામાં
100 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે.
મહીસાગર જિલ્લામાં એક જ શિક્ષક ધરાવતી 74 જ્યારે તાપીમાં 59, સુરત જિલ્લામાં 43, વડોદરા જિલ્લામાં 38 છે. ભાવનગર અને ખેડા જિલ્લાને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં એક જ
શિક્ષકથી ચાલતી પ્રાથમિક શાળાઓ છે. પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1થી 8
ધોરણના વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ઘણી શાળાઓમાં એક જ
ધોરણમાં એકથી વધારે વર્ગ પણ હોય છે. વિધાનસભામાં સરકારે આ કબૂલાત કરી છે.
કોંગ્રેસના સભ્યોના સવાલોના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે, રાજ્યમાં બે વર્ષમાં 86 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ
છે.
રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ
કેળવણી નિરીક્ષક નથી! કુલ 563 જગ્યા ખાલી
રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની 193 જગ્યા ભરાઈ છે અને 93 જગ્યા ખાલી છે. કેળવણી
નિરીક્ષકની 30 જગ્યા ભરાયેલી છે અને 563 જગ્યા ખાલી છે. કેળવણી નિરીક્ષકની 5% જગ્યા ભરાયેલી છે અને 95% જગ્યા ખાલી છે. 17 જિલ્લામાં એક પણ કેળવણી
નિરીક્ષક નથી. સુરત જિલ્લામાં કેળવણી નિરીક્ષકની 35 જગ્યા ખાલી છે.
બનાસકાંઠામાં 30 જગ્યા ખાલી છે.
આ જિલ્લામાં એક
શિક્ષકથી ચાલતી શાળાઓ વધારે
જિલ્લો |
શાળાઓમાં એક
શિક્ષક |
કચ્છ |
100 |
મહીસાગર |
74 |
તાપી |
59 |
સુરત |
43 |
વડોદરા |
38 |
છોટાઉદેપુર |
34 |
સાબરકાંઠા |
32 |
બનાસકાંઠા |
31 |
નર્મદા |
29 |
આણંદ |
24 |
જૂનાગઢ જિલ્લામાં સૌથી
વધુ 25 પ્રાથમિક શાળાઓ બંધ કરાઇ
બે વર્ષમાં રાજ્યમાં 577 સરકારી શાળાઓ બંધ/મર્જ
કરવામાં આવી છે. સૌથી વધુ જામનગર જિલ્લામાં 144 શાળાઓ મર્જ કરવામાં આવી
છે. રાજ્યમાં બે વર્ષમાં 86 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી 491 મર્જ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે 25 પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. રાજ્યના 16 જિલ્લાઓમાં કેટલીક
પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં 55 પ્રાથમિક શાળાઓ મર્જ
કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 37 અને અરવલ્લી જિલ્લામાં 47 શાળાઓ મર્જ કરાઇ છે.