• Home
  • News
  • ફિલ્મ 'મિશન રાનીગંજ' નું ગીત 'કીમતી' થયુ રિલીઝ, અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરાની કેમેસ્ટ્રીએ જીત્યા ચાહકોના દિલ
post

ફિલ્મ મિશન રાનીગંજ - ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ 6 ઓક્ટોબર 2023એ થિયેટર્સમાં રિલીઝ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-03 18:23:15

અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરા બંને પોતાની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. બંનેની ફિલ્મ મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટર, મોશન પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ થઈ ચૂક્યુ છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન હવે આ ફિલ્મનું એક ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે.  

મિશન રાનીગંજનું કીમતી ગીત રિલીઝ

અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં પરિણીતિ ચોપરાને જે ગિફ્ટ આપવાની વાત કહી હતી, તે મિશન રાનીગંજનું પહેલુ ગીત કીમતી હતુ જે હવે રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ગીતમાં અક્ષય અને પરિણીતિ ગાર્ડનમાં એકબીજા સાથે રોમાન્સ કરતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં પરિણીતિ અને અક્ષયની કેમેસ્ટ્રી ખૂબ જોરદાર જોવા મળી રહી છે. એક્ટ્રેસ સિમ્પલ સાડી અને હેરનો બન બનાવીને તેની પર ગજરો લગાવીને ખૂબ સુંદર લાગી રહી છે. કીમતી ગીતને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ગીત રિલીઝ થતા જ મિનિટોમાં વાયરલ થઈ ગયુ છે. 

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ મિશન રાનીગંજ - ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ 6 ઓક્ટોબર 2023એ થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મને ટીનૂ સુરેશ દેસાઈ બનાવી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને પરિણીતિ ચોપડા લીડ રોલમાં છે. અક્ષય કુમાર એક વાર ફરી સરદાર રોલમાં નજર આવશે. આ ફિલ્મ એક રિયલ લાઈફ રેસ્ક્યૂ ઓપરેશન પર આધારિત છે.

અક્ષય કુમારનું પાત્ર કેવુ હશે

આ ફિલ્મમાં અક્ષય કુમાર જસવંત સિંહ ગિલના રોલમાં નજર આવશે. જસવંત સિંહ જેમણે 1989માં એક પૂરગ્રસ્ત ખાણમાં ફસાયેલા 64 મજૂરોના જીવ બચાવ્યા હતા. આ પ્રશંસનીય કાર્ય માટે જસવંત સિંહને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા. અમૃતસરના રહેવાસી જસવંત સિંહનું 80 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. વર્ષ 2019માં તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ.



adv

Related News

post
post
post
post
post
post
post