તમામ સિવિલ હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર લઇ શકે એ માટેનો ખાસ આઇસોલેશન વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 12:02:35
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ નથી, છતાં સરકાર આ મામલે એલર્ટ છે. અમદાવાદની સિવિલ
હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને અગમચેતીના પગલા રૂપે
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી
શરૂ કરવામાં આવી છે.
આ અંગે આરોગ્ય મંત્રી
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સૌથી
મહત્વની બાબત એ છેકે આ જ દીન સુધી ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ જણાયો નથી.
તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર લઇ શકે એ માટેનો ખાસ આઇસોલેશન
વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પણ
સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.