રૂ. 7 લાખથી વધુ વિદેશી કરન્સી પર પણ ટેક્સ
નવી દિલ્હીઃ આ વર્ષે 1 એપ્રિલથી વિદેશયાત્રાને લગતું ટુર પેકેજ ખરીદવું અને વિદેશોમાં કોઈ પણ રીતે ખર્ચ કરવો મોંઘો થઈ જશે. જો કોઈ વિદેશી ટુર પેકેજ ખરીદે કે વિદેશી કરન્સી એક્સચેન્જ કરાવે છે તો રૂ. 7 લાખથી વધુની રકમ પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીસીએસ) ભરવો પડશે. કેન્દ્ર સરકારે બજેટ 2020માં આવકવેરાની કલમ 206Cમાં સુધારો કરીને વિદેશી ટુર પેકેજ અને ભંડોળ પર ટીસીએસ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વિદેશી ટુર પેકેજમાં ભારત બહાર કોઈ એક દેશ કે અનેક દેશોના ટુર પેકેજ સામેલ છે. તેમાં ટ્રાવેલ ખર્ચ, હોટેલ, બોર્ડિંગ, લોજિંગ સહિત અન્ય ખર્ચ પણ સામેલ છે. આ ઉપરાંત કોઈ વિદેશમાં રોકાણ કરશે તો આ પ્રકારના આર્થિક વ્યવહાર પણ આરબીઆઈના લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ નિયંત્રિત થશે. આ માટે એક નાણાકીય વર્ષની મહત્તમ મર્યાદા 2.5 લાખ ડૉલર નક્કી કરાઈ છે. રૂ. 70ના એક્સચેન્જ રેટ પ્રમાણે આ રકમ આશરે રૂ. 1.75 થાય છે.
રિફંડ મળી શકે છે
મીડિયા રિપોર્ટ્સ
પ્રમાણે,
આવકવેરો દાખલ કરીને
તેના પર રિફંડ ક્લેમ કરી શકાય છે. નિષ્ણાતોએ જણાવ્યું કે રિફંડ ફક્ત એ જ લોકોને
મળશે જે આઈટીઆર દાખલ કરે છે.
આ નિયમ શું છે?
આવકવેરા કાયદો 1961ની કલમ 206C હેઠળ જો કોઈ અધિકૃત ડીલર એક નાણાવર્ષમાં રૂ. 7 લાખથી વધુ રકમ એલઆરએસ થકી વિદેશમાં મોકલશે તો
તેણે 5% ટીસીએસ ભરવો પડશે. આ સાથે વિદેશી ટુર પેકેજ પર
પણ ટીસીએસ લાગશે. જો પાન કે આધારકાર્ડ નહીં અપાય તો તે માટે 5% ના બદલે 10% ટીસીએસ ચૂકવવો પડશે.