• Home
  • News
  • વડોદરામાં રિક્ષા અને કાર ધડાકાભેર અથડાતા બે લોકોનાં મોત
post

શહેરનાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગર ચાર રસ્તા પાસે રિક્ષા અને બલેનો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 13:24:09

વડોદરા : શહેરનાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા નગર ચાર રસ્તા પાસે રિક્ષા અને બલેનો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે લોકોનાં મોત નીપજ્યા છે. આ અંગે ફતેહગંજ પોલીસે ગુનો નોંધીને 28 વર્ષનાં કાર ચાલક અલ્કેશભાઇ કાન્સીકની ધરપકડ કરી લીધી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, નિઝામપુરા વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે 11.30 કલાકે નવાયાર્ડ બાજુથી પૂરપાટ ઝડપે આવી રહી હતી. તે દરમિયાન સામેની બાજુથી રીક્ષા આવી રહી હતી. આ બંન્ને વાહનો સામસામે અથડાયા હતાં. જેમાં રીક્ષામાં સવાર બે લોકો ધર્મવીર લાલસિંહ અને સુરજીત સરદારસિંહ નટવરીયાનાં મોત નીપજયા છે. જ્યારે રીક્ષામાં સવાર અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે. જ્યારે કાર ચાલક અલ્કેશભાઇ કાન્સીકની (રહે. ધર્મ રેસિડેન્સી, સુર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાસે, વાઘોડિયા રોડ, વડોદરા) ધરપકડ કરવામાં આવી હતી.આ અકસ્માતમાં ઇજાગ્રસ્તો પાસેથી ગાંજો અને ચિલમ પણ મળી આવ્યાં હતાં. બંન્ને ઇજાગ્રસ્તો મકરપુકરા વિસ્તારનાં રહેવાસી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post