ગૃહમંત્રીની મુલાકાત બાદ પણ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય નથી
ઇમ્ફાલ: મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં હિંસક ટોળાએ ત્રણ લોકોને જીવતા
સળગાવી દીધા હતા. જેમાં માતા અને પુત્રનો પણ સમાવેશ થાય છે. ત્રણેય એમ્બ્યુલન્સ
દ્વારા સારવાર માટે જઈ રહ્યાં હતાં. રસ્તામાં લગભગ 2000 લોકોના ટોળાએ હુમલો
કર્યો અને વાહનને આગ ચાંપી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ રાખમાંથી
માત્ર હાડકાં જ મળ્યાં હતાં.
જોકે આ ઘટના રવિવારે
બની હતી, પરંતુ તેની સંપૂર્ણ વિગતો બે દિવસ પછી સામે આવી છે. મૃતકોની ઓળખ 7 વર્ષની ટોન્સિંગ
હેંગિંગ, તેની માતા મીના હેંગિંગ અને તેના સંબંધી લિડિયા લોરેમ્બમ તરીકે થઈ છે.
ગોળી વાગવાથી ઘાયલ થયા
હતા, સારવાર માટે જઈ રહ્યાં હતાં
ત્રણેય પીડિતોએ 3 મેથી ઇમ્ફાલથી લગભગ 15 કિમી પશ્ચિમમાં કાંગચુપ ખાતે આસામ રાઇફલ્સ કેમ્પમાં આશ્રય લીધો હતો. અધિકારીના
જણાવ્યા અનુસાર આસામ રાઈફલ્સ કેમ્પમાં કેટલાય કુકી પરિવારો રહે છે.
અવાર-નવાર બહારથી
ગોળીબાર થાય છે. Meitei સમુદાયના લોકો જ્યાં કુકી રહે છે તે વિસ્તારોને નિશાન બનાવે છે. રવિવારે આવા જ
એક હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આસામ રાઈફલ્સના સૈનિકો
સાથે ન હતા
આ પછી કેમ્પ અધિકારીઓએ ઇમ્ફાલ પશ્ચિમના એસપી ઇબોમચા સિંહનો સંપર્ક કર્યો અને
તેમણે પીડિતોને ઇમ્ફાલ હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવા કહ્યું.
સાંજે 5.16 વાગ્યે, દર્દીઓ અને નર્સને લઈ
જતી એમ્બ્યુલન્સ એસપીની દેખરેખ હેઠળ કેમ્પમાંથી નીકળી ગઈ. આસામ રાઈફલ્સમાંથી કોઈ
તેમની સાથે નહોતું.
એસપીની સામે જ
એમ્બ્યુલન્સને આગ ચાંપવામાં આવી હતી
એમ્બ્યુલન્સ અડધા રસ્તે જ પહોંચી હતી, જ્યારે હિંસક ટોળાએ
વાહન પર કાબૂ મેળવ્યો. આસામ રાઇફલ્સનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓને રવિવારે
સાંજે પછીથી ખબર પડી કે એસપીની સામે એમ્બ્યુલન્સને સળગાવી દેવામાં આવી હતી અને
ત્રણ લોકો માર્યા ગયા હતા. ડ્રાઈવર અને નર્સ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયાં હતાં.
આરએએફના એક સૂત્રએ
કહ્યું: “આ ઘટના ચોંકાવનારી છે. અહીંની પરિસ્થિતિનો સામનો કરવા માટે અમે ઇમ્ફાલમાં
તૈનાત થયા ત્યારથી અમે એમ્બ્યુલન્સ પર ક્યારેય હુમલો જોયો નથી.
રાખમાં માત્ર થોડાં
હાડકાં જ મળ્યાં
આ આગમાં મૃત્યુ પામેલી માતા મતેઈ સમુદાયની છે જેમણે કુકી સાથે લગ્ન કર્યાં
હતાં. મૃતકના સંબંધી પાઓલેનલાલ ફાંસીએ કહ્યું, “અમે 3 મેથી મતેઈ સમુદાયના
અત્યાચારોનો સામનો કરી રહ્યા છીએ.
પરંતુ રવિવારની ઘટના
સૌથી ખરાબ હતી. મૃતદેહો બળી ગયા હતા. રાખમાં માત્ર થોડાં હાડકાં જ મળ્યાં હતાં.
પોતાના સમુદાયના લોકો
પર હુમલો
પાઓલેનલાલે જણાવ્યું હતું કે તેઓ એમ્બ્યુલન્સમાં ત્રણેયની સાથે નહોતા કારણ કે
તેઓ કુકી હતા અને વાહન મતેઈના પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી પસાર થવાનું હતું.
મીના અને લિડિયા
ખ્રિસ્તી હતાં પરંતુ તેઓ મતેઇ સમુદાયના હતા, અમે માન્યું કે તેમના
પર હુમલો કરવામાં આવશે નહીં. પરંતુ તેઓ પણ બચ્યાં ન હતાં.
એમ્બ્યુલન્સ હુમલામાં
પત્ની અને પુત્રને ગુમાવનાર જોશુઆ હેંગિંગ આઘાતમાં છે. હાલમાં તે કુકી પ્રભુત્વ
ધરાવતા ગામ કીથેલમાનબીમાં સંબંધીઓ સાથે રહે છે.
ગૃહમંત્રીની મુલાકાત
બાદ પણ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય નથી
સરકારી સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ
સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી. કેટલાક લોકોએ હથિયારો સોંપી દીધાં છે. હજુ ઘણું
થવાનું છે.
એમ્બ્યુલન્સ અકસ્માતમાં
જીવ ગુમાવનાર બાળકની શાળાના આચાર્ય એલ ઓત્સી ખોંગસાઈ કહે છે કે સરકાર શાંતિ માટે
ઘણા પ્રયત્નો કરી રહી છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. સમુદાયો વચ્ચે
અવિશ્વાસ અને નફરત માત્ર વધી છે. મને ખબર નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ.