• Home
  • News
  • 120 કિલો વજન, 8 ફૂટ પહોળાઈ અને 5.5 ફૂટ ઊંચાઈની વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલને અર્પણ કરાઈ
post

એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 10:48:55

નડિયાદ: શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામની પ્રેરણાથી તૈયાર કરાયેલી શિક્ષાપત્રી વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત તરીકે ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ્ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્, આ ત્રણ એવોર્ડ એનાયત કરાયા છે. આ સચિત્ર શિક્ષાપત્રીમાં 212 શ્લોક, કુલ 224 હસ્તલિખિત પેજ છે.

196 વર્ષ પહેલાં લખી હતી
આ હસ્તપ્રતનું લેખન તથા ચિત્રકામ કુંડળધામના 150 જેટલાં હરિભક્તોએ માત્ર 24 કલાકમાં પૂર્ણ કર્યું હતું. તથા બાઈન્ડીંગ માત્ર 10 કલાકમાં કરવામાં આવ્યું હતું. આજથી 196 વર્ષ પહેલા વડતાલધામે બિરાજી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી હતી. તેથી શિક્ષાપત્રીની પ્રાગટ્ય ભૂમિ એવા વડતાલધામને અર્પણ કરી છે.

ખાતમૂર્હુત પ્રસંગે લોકાર્પણ કરવામાં આવ્યું
કુંડળધામ દ્વારા પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તૈયાર કરાયેલી આ હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલધામ ખાતે તૈયાર થઈ રહેલા સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુઓના ભવ્ય મ્યુઝિયમના ખાતમુહૂર્ત પ્રસંગે તેનું લોકાર્પણ તથા વડતાલધામને અર્પણ કરવામાં આવી છે.

224 પાનાઓ હસ્તલિખિત છે
આ શિક્ષાપત્રીનો હેતુ માનવજાત અને ભક્તોના કલ્યાણ માટે ભગવાન શ્રીસ્વામિનારાયણના આશીર્વાદ અને આજ્ઞાઓનો લાભ પ્રાપ્ત થાય તેવો છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિ સુધી આ દિવ્ય સંદેશાઓ પહોંચે એવા માનવકલ્યાણના ઉમદા હેતુ સાથેની આ શિક્ષાપત્રીના તમામ 224 પાનાઓ શરૂઆતથી અંત સુધી હસ્તલિખિત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post