એશિયા બુક અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
નડિયાદ: શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામની પ્રેરણાથી તૈયાર
કરાયેલી શિક્ષાપત્રી વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત તરીકે ભગવાન સ્વામિનારાયણ રચિત
શિક્ષાપત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ્
અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્, આ ત્રણ એવોર્ડ એનાયત કરાયા છે. આ સચિત્ર શિક્ષાપત્રીમાં 212 શ્લોક, કુલ 224 હસ્તલિખિત પેજ છે.
196 વર્ષ પહેલાં લખી હતી
આ હસ્તપ્રતનું લેખન તથા ચિત્રકામ કુંડળધામના 150 જેટલાં હરિભક્તોએ માત્ર
24 કલાકમાં પૂર્ણ કર્યું હતું. તથા બાઈન્ડીંગ માત્ર 10 કલાકમાં કરવામાં આવ્યું
હતું. આજથી 196 વર્ષ પહેલા વડતાલધામે બિરાજી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી હતી. તેથી
શિક્ષાપત્રીની પ્રાગટ્ય ભૂમિ એવા વડતાલધામને અર્પણ કરી છે.
ખાતમૂર્હુત પ્રસંગે
લોકાર્પણ કરવામાં આવ્યું
કુંડળધામ દ્વારા પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તૈયાર કરાયેલી આ
હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલધામ ખાતે તૈયાર થઈ રહેલા સ્વામિનારાયણ ભગવાનની
પ્રસાદીભૂત વસ્તુઓના ભવ્ય મ્યુઝિયમના ખાતમુહૂર્ત પ્રસંગે તેનું લોકાર્પણ તથા
વડતાલધામને અર્પણ કરવામાં આવી છે.
224 પાનાઓ હસ્તલિખિત છે
આ શિક્ષાપત્રીનો હેતુ માનવજાત અને ભક્તોના કલ્યાણ માટે ભગવાન
શ્રીસ્વામિનારાયણના આશીર્વાદ અને આજ્ઞાઓનો લાભ પ્રાપ્ત થાય તેવો છે. દુનિયાની
પ્રત્યેક વ્યક્તિ સુધી આ દિવ્ય સંદેશાઓ પહોંચે એવા માનવકલ્યાણના ઉમદા હેતુ સાથેની
આ શિક્ષાપત્રીના તમામ 224 પાનાઓ શરૂઆતથી અંત સુધી હસ્તલિખિત છે.