• Home
  • News
  • 'તારક મહેતા..'માં શું થઈ રહ્યું છે?:શૈલેષ લોઢા બાદ હવે 'બબીતા' પણ શો છોડશે? મુનમુન દત્તાને રિયાલિટી શોની ઑફર મળી
post

તારક મહેતાનો રોલ પ્લે કરતા શૈલેષ લોઢા અન્ય શોમાં હોસ્ટ બન્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-23 18:23:07

મુંબઈ: ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં લોકપ્રિય છે. આ સિરિયલના દરેક પાત્ર સાથે દર્શકોનો ખાસ લગાવ જોવા મળે છે. હવે ચર્ચા છે કે શૈલેષ લોઢા બાદ હવે શોની મોસ્ટ ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તાએ પણ શો છોડવાનું નક્કી કર્યું છે. સિરિયલમાં મુનમુન દત્તા બબીતાનો રોલ પ્લે કરે છે. આ રોલને કારણે મુનમુન દત્તા ઘેર-ઘેર લોકપ્રિય થઈ છે.

કેમ શો છોડશે?
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મુનમુન દત્તાની લોકપ્રિયતા જોઈને 'બિગ બોસ OTT'એ સેકન્ડ સીઝન માટે અપ્રોચ કર્યો છે. માનવામાં આવે છે કે મુનમુન દત્તાએ શોમાં સામેલ થવા માટે હા પણ પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે 'બિગ બોસ 15'માં મુનમુન દત્તા બે દિવસ ઘરમાં રહી હતી. મુનમુન દત્તા જો રિયાલિટી શોમાં જશે તો તે સિરિયલ છોડી દેશે એમ માનવામાં આવી રહ્યું છે.

2004માં ટીવી ડેબ્યુ કર્યું હતું
મુનમુન દત્તા મૂળ પુણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 2006માં 'હોલિડે' તથા 2015માં આવેલી ફિલ્મ 'ઢિંચાક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી. તેના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું છે. તેણે ગયા વર્ષે મુંબઈમાં પોતાનું બીજું ઘર લીધું હતું. અહીં તે તેની મમ્મી સાથે રહે છે.

અત્યારસુધીમાં આ કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે.
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post