આ સર્વે માટે 5 રાજ્યમાંથી 10 હજાર સેમ્પલ લેવામાં આવ્યાં હતાં
કોરોનાની
ત્રીજી લહેર બાળકો પર વધારે અસર કરશે નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
(ડબ્લ્યુએચઓ) અને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)એ પોતાના
સિરોપ્રેવેલેન્સ સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે. કોરોનાના ખતરનાક વેરિયન્ટને
ધ્યાનમાં રાખીને ભારતમાં ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હવે એક
નવા અધ્યયનમાં WHO
અને AIIMSનો દાવો રાહત
આપનારો છે.
સર્વે મુજબ, પુખ્ત વયના લોકો કરતાં SARS-CoV-2 સિરોપોઝિટિવિટી દર
બાળકોમાં વધારે છે. સિરોપોઝિટિવિટી વાયરસ પ્રત્યેની કુદરતી પ્રતિરક્ષા પ્રતિભાવને
માઉન્ટ કરવાની શારીરિક ક્ષમતા બતાવે છે. દિલ્હી એઇમ્સમાં કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર
પુનિત મિશ્રાએ જણાવ્યું હતું કે દક્ષિણ દિલ્હીની શરણાર્થી કોલોનીઓમાં
સિરોપ્રિવેલેન્સ 74.7% કરતાં વધુ મળ્યું છે.
આ આંકડો અત્યારસુધીમાં કરાયેલા કોઈપણ સિરો સર્વેમાં સૌથી
વધુ છે. સર્વે અનુસાર, બીજી લહેર પહેલાં પણ દક્ષિણ દિલ્હીમાં રહેતાં 18 વર્ષથી નીચેનાં
બાળકોમાં સિરોપ્રિવેલેન્સ 73.9% હતું. વધુ સિરોપ્રિવેલેન્સ ત્રીજી લહેર સામે બાળકો પર સુરક્ષા-કવચ તરીકે કાર્ય
કરશે.
પાંચ રાજ્યમાંથી 10 હજાર સેમ્પલ લેવામાં
આવ્યાં હતાં
આ સર્વે માટે 5 રાજ્યમાંથી 10 હજાર સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. હાલમાં જે રિપોર્ટ આવ્યા છે એમાં 4 રાજ્યનાં 4500 સેમ્પલનો આધાર
બનાવવામાં આવ્યો છે. આગામી બે-ત્રણ મહિનામાં પાંચ રાજ્યમાંથી 10 હજાર સંપૂર્ણ સેમ્પલના
રિપોર્ટ આવશે.
આ સ્ટડી દિલ્હી શહેર, દિલ્હી રૂરલ, ભુવનેશ્વર, ગોરખપુર અને અગરતલાનાં
સ્થળો માટેની સરેરાશ ઉંમર 11 વર્ષ, 12 વર્ષ, 11 વર્ષ, 13 વર્ષ અને 14 વર્ષ હતી. 15 માર્ચ 2021ના અભ્યાસ માટેનો ડેટા અને 10 જૂન 2021ની વચ્ચે એકત્રિત
કરવામાં આવ્યા હતા. સંશોધનકારોના કહેવા મુજબ, એલિસા કિટનો ઉપયોગ SARS-CoV-2 સામે કુલ સીરમ
એન્ટિબોડીઝના અવલોકન માટે કરવામાં આવ્યો હતો. આ કિટ માનવ શરીરમાં કોરોનાવાયરસની
એન્ટિબોડીઝની હાજરી શોધી કાઢે છે.
ડેલ્ટા વેરિયન્ટ સામે
બૂસ્ટર શોટ લાવશે સ્પુતનિક-વી
અહીં રશિયન વેક્સિન સ્પુતનિક-વીને લઈને કહેવાઈ રહ્યું છે કે તે ટૂંક સમયમાં
બૂસ્ટર શોટ ઉપલબ્ધ કરાવશે. આ બૂસ્ટર ડોઝ ભારતમાં મળી આવેલા કોરોનાવાયરસના પ્રથમ
ડેલ્ટા વેરિયન્ટ પર અસરકારક સાબિત થશે. આ સાથે કંપનીએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં
કોરોના સામેના યુદ્ધમાં અન્ય વેક્સિન ઉત્પાદકો સાથે પણ મળીને કામ કરશે.
તમને જણાવી દઈએ કે સ્પુતનિક-વી વિશ્વની પ્રથમ કોરોના
વેક્સિન છે, જે ગયા વર્ષે રશિયાના ગામાલેયા રિસર્ચ સેન્ટર દ્વારા બનાવવામાં આવી હતી.
સ્પુતનિક-વી એ કોવિશીલ્ડ અને કોવેક્સિન પછીની ત્રીજી વેક્સિન છે, જેનો ઉપયોગ ભારતમાં થઈ
રહ્યો છે. એ રશિયન કંપનીના સહયોગથી હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની ડો. રેડ્ડીઝ
દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.
WHOને ન આપ્યા ત્રીજા
તબક્કાના ડેટા : ભારત બાયોટેક
દેશની અગ્રણી વેક્સિન નિર્માતા ભારત બાયોટેકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)માં કોવેક્સિનના ત્રીજા
તબક્કાના ડેટા રજૂ કરવાના અહેવાલોને નકારી દીધા છે. કંપનીએ ગુરુવારે કહ્યું હતું
કે આવા અહેવાલો ખોટા છે કે કંપનીએ કોવેક્સિન રસીના ત્રીજા તબક્કાના ડેટા
ડબ્લ્યુએચઓને આપ્યા છે.