ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
2000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી
લેવાનો મામલો અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ મામલો હવે દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો
છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ડિમાન્ડ સ્લિપ અને
ઓળખના પુરાવા વિના રૂ. 2000ની નોટ જમા કરાવવા અથવા
અન્ય નાના મૂલ્યની નોટોમાં રોકડ ચૂકવવાનો આદેશ મનસ્વી, અતાર્કિક અને ભારતના
બંધારણની આર્ટીકલ 14નું ઉલ્લંઘન કરે છે.
આ અરજીમાં કરવામાં આવેલી માંગ
અરજીમાં
કહેવામાં આવ્યું છે કે,
આ
પગલાથી ભ્રષ્ટાચાર,
બેનામી
વ્યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, આ પગલું નાગરિકોના
મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રને કાળા નાણા અને બેનામી સંપત્તિ
ધારકો સામે યોગ્ય પગલાં લેવામાં મદદ કરશે. તેથી આ અંગે સરકાર અને RBIને યોગ્ય સૂચના આપવા
અરજીમાં વિનંતી કરવામાં આવી છે.
23 મેથી નોટો બદલી શકાશે
રિઝર્વ
બેંકે FAQs
જારી
કર્યા છે અને કહેવામાં આવ્યું છે કે, ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહેલી 2000 રૂપિયાની નોટને બદલવાની
પ્રક્રિયા 23
મે
2023થી શરૂ થશે અને તેને 30 સપ્ટેમ્બર સુધી બદલી
શકાશે. જો તમારી પાસે પણ આ નોટો છે, તો ગભરાવાની જરૂર નથી, બેંકમાં જઈ તમે તેને
સરળતાથી બદલી શકો છો.
આઈડી કાર્ડની જરૂર રહેશે નહીં
સ્ટેટ
બેંક ઓફ ઈન્ડિયાએ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલવા માટે
કોઈપણ વ્યક્તિએ આંખનો પુરાવો આપવો પડશે નહીં કે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 2000 રૂપિયાની 20,000 રૂપિયા સુધીની નોટ એક જ
વારમાં સરળતાથી બદલી શકાશે.