વિપુલે કહ્યું કે 'ફિલ્મમાં 3 યુવતીઓ દ્વારા હજારો છોકરીઓની વાર્તા બહાર આવી છે. મીડિયાના ઘણા લોકોએ જૂઠું બોલ્યું.આ એક ગંદું ષડયંત્ર છે જે ન થવું જોઈએ. અમે નવા આંકડાઓ લઈને આવીશું અને 32 છોકરીઓનો પર્દાફાશ કરીશું.'
વિવાદમાં રહેલી 'ધ કેરલ સ્ટોરી' 2023ની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ચુકી છે. બોલિવૂડ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' રૂ.150
કરોડની કમાણી કરવાની નજીક છે. ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ની આખી ટીમ આજે મુંબઈમાં પ્રેસ
કોન્ફરન્સ કરી રહી છે. જેમાં ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ શાહ 25 છોકરીઓને મીડિયા સામે લાવ્યા, જે કેરળથી આવી છે અને ધર્મ
પરિવર્તનનો ભોગ બની છે. વિપુલ શાહે જણાવ્યું હતું કે,
'અમારા પર આરોપ લગાવવામાં આવ્યો કે તે પ્રચાર હતો
પરંતુ દર્શકોએ જવાબ આપ્યો પરંતુ અમને લાગે છે કે અમારી પાસે ફિલ્મો બનાવવા સિવાય
અન્ય કામ છે, જેનો ભોગ બન્યા છીએ.'
અમે પીડિત 25 છોકરીઓનો પરિચય કરાવી
રહ્યા છીએ. અમે તેમના માટે કંઈક કરવા માંગીએ છીએ.અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિએ
પોતાના પરિવાર સાથે આ ફિલ્મ જોવી જોઈએ.
ફિલ્મના દિગ્દર્શક
સુદીપ્તો સેને જણાવ્યું છે, 'આ માત્ર કેરળની જ નહીં, સમગ્ર ભારતમાં ચાલી રહી છે.માત્ર ફિલ્મ જોવાની જ નહીં પરંતુ તેનો અવાજ બનવાની
જવાબદારી પણ આપણી છે.' આ ફિલ્મ બનાવવા માટે મજબૂર કરાયેલી છોકરીઓની સંખ્યા મોટી છે. આજે તેમાંથી થોડી
જ છોકરીઓ જોડાઈ છે.'
વિપુલે કહ્યું કે 'ફિલ્મમાં 3 યુવતીઓ દ્વારા હજારો
છોકરીઓની વાર્તા બહાર આવી છે. મીડિયાના ઘણા લોકોએ જૂઠું બોલ્યું.આ એક ગંદું
ષડયંત્ર છે જે ન થવું જોઈએ. અમે નવા આંકડાઓ લઈને આવીશું અને 32 છોકરીઓનો પર્દાફાશ
કરીશું.'
ફિલ્મનો ઉદ્દેશ્ય કોઈ
ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી : સુદીપ્તો
ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેને કહ્યું, 'આ ફિલ્મનો ઉદ્દેશ્ય કોઈ
ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.દરેક ડાયલોગ અને સીન વાસ્તવિકતા પર આધારિત
છે.ભારત સિવાય આ ષડયંત્ર ઘણા દેશોમાં ચાલે છે.આતંકવાદ ઇસ્લામ ધર્મને બદનામ કરે
છે.આ ફિલ્મ દ્વારા અમે જણાવ્યું છે કે કેવી રીતે ઈસ્લામ ધર્મના નામનો દુરુપયોગ થઈ
રહ્યો છે.' સુદીપ્તોએ વધુમાં કહ્યું, કેરળની અંદર બે કેરળ છે. એક કેરળ જે સુંદરતાથી ભરપૂર છે, અને બીજું ઉત્તરીય કેરળ
કે જે ટેરર નેટવર્કનું હબ છે.
વાત કરતા સુદીપ્તોએ કહ્યું, 'ફિલ્મ રિલીઝ થયા બાદ એક પુરાવો સામે આવ્યો છે કે ISISએ આ છોકરીઓને એક ષડયંત્ર હેઠળ ગર્ભવતી કરી છે. જો આ છોકરીઓ પોતાનું સત્ય કહેવાનું શરૂ કરે તો રાત વીતી જશે, પણ તેમની વાર્તા પૂરી નહીં થાય. તેમની વાત સાંભળીને તમે તમારા આંસુ રોકી શકશો નહીં.
ધર્મ પરિવર્તનથી પીડિત
છોકરીઓને બચાવવા આશ્રમને 51 લાખ આપ્યા
વિપુલે કહ્યું કે 'આ ફિલ્મ બનાવવાનો હેતુ કોઈપણ રીતે છોકરીઓને બચાવવાનો હતો. આર્ષ વિદ્યા
આશ્રમમાં 300 કન્યાઓને સુવિધા આપવામાં આવશે. જેઓ ધર્મ પરિવર્તનથી પીડિત છે.વિપુલે આ માટે 51 લાખ રૂપિયાની મદદ પણ
કરી છે.'
છોકરીઓ નહીં પણ છોકરાઓએ
પણ ધર્મપરિવર્તન કરાવ્યું
પીડિત છોકરીઓ પૈકી એક ચિત્રાએ કહ્યું, '7 હજારમાંથી માત્ર છોકરીઓ
જ નહીં પરંતુ છોકરાઓ પણ હતા. જેઓ ધર્મ પરિવર્તન કર્યું હતું, તેઓએ તેમના પરિવારોને
સંપૂર્ણ રીતે છોડી દીધા. જ્યારે પરિવારના સભ્યોએ તેમનામાં આવેલો બદલાવ જોયો તો તેઓ
તેમને આશ્રમમાં લઈ આવ્યા. આ લોકોનો કોઈ રેકોર્ડ નથી કારણ કે આવી સ્થિતિમાંથી બહાર
આવ્યા પછી કોઈ તેના વિશે વાત કરવા માગતું નથી. તેઓ પોતાની ઓળખ છુપાવવા માંગે છે.
પીડિત શ્રુતિ નામની યુવતીએ જણાવ્યું હતું કે,
આર્ષ વિદ્યા સમાજ હેઠળ તે છોકરીઓને મદદ કરવામાં આવે
છે, જેનું ધર્માંતરણ થયું છે.1999 થી 2023
એટલે કે 24 વર્ષમાં લગભગ 7000 મના ધર્મમાં પાછા ફર્યા છે, જેમાં ઇસ્લામ સ્વીકારનારાઓ પણ સામેલ છે. કેરળની બહારના લોકોને પણ મદદ માટે ફોન
આવે છે, તે બધાનું બળજબરીથી ધર્માંતરણ
કરવામાં આવ્યું છે.ફક્ત છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ પણ આ સંસ્થામાં ફોન કરે છે.