રાત્રિ કર્ફ્યૂથી મહિલાઓમાં ચિંતા અને ભયની સ્થિતિ અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓએ કર્યો સરવે
દિવાળી બાદ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે
સાવચેતીના ભાગરૂપે ફરી એકવાર રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં
આવ્યો છે, જેમાં
કોરોનાનો ડર ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો. ત્યાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો, જેને પરિણામે ફરીથી લોકોમાં ખાસ
કરીને મહિલાઓમાં ભય પેદા થયો છે, એવું સરવેનાં તારણોમાંથી બહાર આવ્યું છે. મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની
વિદ્યાર્થિનીઓ નિમિષા પડારિયા અને દાફડા નયનાએ રાત્રિ કર્ફ્યૂ વિશે મહિલાઓ શું
અનુભવે છે એ વિશે 484 મહિલા
પર ગૂગલ ક્રોમ દ્વારા એક સરવે કર્યો, જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો
સામે આવી છે.
રાત્રિ કર્ફ્યૂને કારણે સ્ત્રીઓમાં ભય વધી રહ્યો છે, કેમ કે ઘર પરિવારના સભ્યો રાત્રે
નવ વાગ્યા પછી અથવા નવ વાગ્યાની આસપાસ ઘરે ન આવ્યા હોવાથી ડર અને ચિંતાનો ભોગ બની
રહી છે, કારણ
કે રાત્રે નવ વાગ્યાની આસપાસ ઘરના સભ્યો બહાર હોવાથી સતત ચિંતિત રહે કે કઈ થયું
નહિ હોય ને?, પોલીસે
પકડ્યા તો નહીં હોઈને? આવાં
બધાં કારણોથી પુરુષો કરતાં સ્ત્રીઓમાં રાત્રિ કર્ફ્યૂથી ભયનો માહોલ વધ્યો હોવાનું
સરવે પરથી તારણ નીકળ્યું છે.
રાજકોટમાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં
રાત્રિ કર્ફ્યૂથી ભયનો માહોલ વધ્યો હોવાનું સરવેનું તારણ
સવાલ:
રાત્રિ કર્ફ્યૂ સાથે તમે સહમત છો?
જવાબ:
61.9% મહિલાઓએ
‘અસહમતી
દર્શાવી, 38.1% મહિલાઓએ
સહમત હોવાનું કહ્યું.
સવાલ:
રાત્રે નવ વાગ્યા પછી તમારા ઘરના સભ્યો બહાર હોય તો ભય લાગે છે?
જવાબ:
61.9% મહિલાઓએ
‘ના’ અને 38.1% મહિલાઓએ ‘હા’ જણાવી હતી.
સવાલ:
રાત્રિ કર્ફ્યૂથી તમારા પરિવારના વ્યવસાયમાં કોઈ આડ અસર થઈ છે?
જવાબ:
67.9% મહિલાઓએ
‘હા’ અને 32.1% મહિલાઓએ ‘ના’ કહી હતી.
સવાલ:
રાત્રિ કર્ફ્યૂને કારણે તમારા ઘરના સભ્યો કોઈ કામથી બહાર ગયા હોય અને 9 વાગતાં બેચેની થાય છે?
જવાબ:
73.8% મહિલાઓ
બેચેની અનુભવે છે, 26.2% મહિલાઓ
બેચેની અનુભવતી નથી.
સવાલ:
ઉતાવળે ઘર પર જતાં અકસ્માતનો ભય લાગે છે?
જવાબ:
77.4% મહિલાઓને
અકસ્માતનો ભય લાગે છે, 22.6%ને
નથી લાગતો.
સવાલ:
મોડું થશે તો પોલીસ પકડશે એવો ભય લાગે છે?
જવાબ:
78.6% મહિલાઓએ
‘હા’ અને 21.4% મહિલાઓએ ‘ના’ કહી હતી.
સવાલ:
રાત્રિ કર્ફ્યૂ રાખવાથી કોરોના કાબૂમાં આવશે?
જવાબ:
66.7% મહિલાઓએ
‘ના’ અને 33.3% મહિલાઓએ ‘હા’ કહી હતી.
સવાલ:
રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા ઈચ્છો છો?
જવાબ:
7.40% મહિલાઓએ
કહ્યું, હાલનો
જે સમય છે એ બરાબર છે. 19% મહિલાઓએ
કહ્યું, રાત્રે
10થી
સવારના 5 વાગ્યાનો
હોવો જોઈએ. 20.2% મહિલાઓએ
કહ્યું, રાત્રે
11થી
સવારના 5 વાગ્યાનો
હોવો જોઈએ. 53.30% મહિલાઓએ
કહ્યું, હવે
રાત્રિ કર્ફ્યૂ હટાવી લેવો જોઈએ.
સવાલ:
રાત્રિ કર્ફ્યૂને કારણે અગત્યનાં કામો અટકી જાય છે કે ઉતાવળે પૂર્ણ કરવા પડે છે?
જવાબ:
75% મહિલાઓએ
‘હા’ અને 25% મહિલાઓએ ‘ના’ કહી હતી.
કર્ફ્યૂથી મહિલાઓ શારીરિક-માનસિક
અસરનો ભોગ બની રહી છે
રાત્રિ
કર્ફ્યૂને કારણે મહિલાઓ શારીરિક અને માનસિક અસરનો પણ ભોગ બની રહી હોવાનું પણ
સરવેમાંથી બહાર આવ્યું છે, જેમાં
શારીરિક લક્ષણોમાં પરસેવો, શરીરમાં
ધ્રુજારી, ગરમી
કે ઠંડી, શ્વાસની
તકલીફ, ગૂંગળામણ, હૃદયના ધબકારા અચાનક વધી જવા, ભૂખમાં ખલેલ વગેરે છે, જ્યારે માનસિક લક્ષણો નિયંત્રણ
ગુમાવવાનો ભય, બેહોશ
થવાનો ભય, ભયની
લાગણી, મૃત્યુનો
ભય, નુકસાન
કે માંદગીનો ભય, અપરાધ
ભાવ, મૂંઝવણ, ધ્યાન એકાગ્રતામાં મુશ્કેલી, ક્રોધ, ચીડિયાપણું, મૂડમાં પરિવર્તન, ચિંતા અને ભય, વારંવાર ઘરના દરવાજા તરફ જોયા
કરવું (જેને મનોવિજ્ઞાનમાં ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઓર્ડર OCD) કહે છે. રાત્રિ કર્ફ્યૂથી
સ્ત્રીઓમાં સૌથી વધુ ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઓર્ડરનો ભોગ બની છે.