ટક્કરથી જીપનો આગલો ભાગ અલગ થઈ ગયો. અકસ્માત એટલો ભીષણ હતો કે જીપના દરવાજા કટરથી કાપીને લાશો બહાર કાઢવી પડી
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ
જિલ્લામાં ગુરૂવારે મોડી રાતે માર્ગ અકસ્માતમાં 14 લોકોનાં મોત થયા હતા.
તેમાં છ બાળકો સામેલ છે. પોલીસના અનુસાર, ડ્રાઈવરને ઝોકું આવ્યું
હતું. જીપ એટલી ખરાબ રીતે ડેમેજ થઈ ગઈ હતી કે તેના દરવાજા કટરથી કાપીને લાશો બહાર
કાઢવી પડી હતી.
પોલીસે કહ્યું હતું કે
મૃતકોમાંથી 12
ચૌંસા
જિરગાપુર ગામના હતા. ડ્રાઈવર અને એક 9 વર્ષનો બાળક બીજા ગામના
હતા. શેખપુરા ગામમાં લગ્નમાં તેઓ ગયા હતા.
આ અકસ્માત પ્રયાગરાજ હાઈવે પર થયો હતો. જોરદાર ટક્કરનો અવાજ
સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળ તરફ દોડ્યા હતા. પોલીસને ફોન કર્યા બાદ લોકો
રાહત-બચાવ કાર્યમાં જોડાયા હતા.
આ લોકોનાં મોત થયા
પારસનાથ
(ડ્રાઈવર)(40), મિથિલેશ
કુમાર (17), બબલુ(22), અભિમન્યુ(28), રામસમુઝ (4), નાન ભૈયા(55), દયારામ(40), દિનેશ(40), પવન(10), અમન(7), અંશ(9), ગૌરવ(10), સચિન(12) અને હિમાંશુ (12) સામેલ છે.