આદિત્ય L1 સોલર કોરોનાના અને તેની હીટિંગ મિકેનિઝમ સાયન્સનો અભ્યાસ કરશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ
ઓર્ગેનાઈઝેશન (ISRO) હવે ચંદ્ર પછી સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરો ટૂંક સમયમાં
આદિત્ય L-1 નામની ઓબ્જર્વેટરીને અંતરિક્ષમાં મોકલવા જઈ રહ્યું છે. બેંગલુરુના યુ આર રાવ
સેટેલાઇટ સેન્ટરમાં બનેલા સેટેલાઈટને આ માટે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ
સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. આ સાથે આદિત્ય L-1 લોન્ચ કરવામાં આવશે.
આદિત્ય L-1 સૂર્યનો અભ્યાસ કરનાર
પ્રથમ ભારતીય મિશન હશે. આ અવકાશયાનને સૂર્ય-પૃથ્વી સિસ્ટમમાં લેગરેન્જ પોઈન્ટ-1 (L1) નજીક એક હેલો ઓર્બિટમાં
મૂકવામાં આવશે. આ લેગરેન્જ પોઈન્ટ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર છે.
આદિત્ય L1 આ રીતે કામ કરશે
·
સૌર એક્ટિવિટીઝ અને અંતરિક્ષના હવામાન પર તેમની અસરને સમજી
શકાય છે.
·
અવકાશયાન સાત પેલોડ વહન કરશે જે ઇલેક્ટ્રોમેગ્નેટ અને
પાર્ટિકલ અને મેગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટરની મદદથી ફોટોસ્ફેયર, ક્રોમોસ્ફેયર અને
સૂર્યના બાહ્ય સ્તરોનો અભ્યાસ કરશે.
·
ચાર પેલોડ્સ L1 પોઈન્ટથી સૂર્યનું
સીધું અવલોકન કરશે અને ત્રણ પેલોડ્સ ત્યાંના કણો અને ક્ષેત્રોનો અભ્યાસ કરશે.
·
આદિત્ય L1 સોલર કોરોનાના અને તેની હીટિંગ મિકેનિઝમ સાયન્સનો અભ્યાસ
કરશે.
લેગરેન્જ પોઈન્ટ શું છે
·
લેગરેન્જ પોઈન્ટ્સ અંતરિક્ષમાં તે સ્થાન હોય છે જ્યાં જો
કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તે ત્યાં જ રહે છે.
·
લેગરેન્જ પોઈન્ટ પર, બે બોડી વચ્ચેનું
ગુરુત્વાકર્ષણ એટલુ જ હોય છે, જેટલુ તે બે બોડીજ વચ્ચે રહેલા નાના ઓબ્જેક્ટ્સને મુવ કરવા
માટે સેંટ્રિપિટલ ફોર્સની જરુર હોય છે.
·
લેગરેન્જ-1 પોઈન્ટની નજીક તૈનાત થનારા સેટેલાઈટની નજીક સૌથી મોટો ફાયદો
એ છે કે અહીં ગ્રહણની કોઈ અસર નથી. સેટેલાઈટ કોઈપણ અવરોધ વિના સૂર્યનો સતત અભ્યાસ
કરી શકે છે.