• Home
  • News
  • ઠાસરા-સેવાલિયા રોડ પર એસ.ટી. બસમાં ક્રેન ઘૂસી ગઈ, એકનું મોત
post

ઠાસરા-સેવાલિયા રોડ પર ગુરુવારે મોડી સાંજે વિચિત્ર અકસ્માત થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-18 10:16:33

નડિયાદ: ઠાસરા-સેવાલિયા રોડ પર ગુરુવારે મોડી સાંજે વિચિત્ર અકસ્માત થયો હતો. કેશોદ જતી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે આગળ જતાં ટ્રકનો ઓવરટેક કરવા માટે ડ્રાઈવરે બસને રોન્ગ સાઈડમાં લઈ ગયો હતો. આ સમયે સામેથી આવતી ક્રેનનો 22 ફૂટ જેટલો ભાગ બસની કડંક્ટર સીટ સુધી ઘૂસી ગયો હતો. ક્રેનનો ભાગ બે સીટની વચ્ચે ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં બસમાં બેઠેલા એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 25 જેટલા મુસાફરને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને ઠાસરા અને નડિયાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post