ચર્ચે તેના પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા કરી
Written By newsonline | Ahmedabad | Published: 2022-11-28 17:41:04
નવી દિલ્હી: કેરળમાં ડાબેરી સરકારે
અદાણી પોર્ટ નિર્માણનો વિરોધ કરી રહેલા વિરોધીઓ દ્વારા વિઝિંજામ વિસ્તારમાં પોલીસ
સ્ટેશન પરના હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યો છે. મુખ્યમંત્રી વિજયને કહ્યું કે આવી
ગુનાહિત પ્રવૃત્તિઓને સાંખી લેવામાં આવશે નહીં. તેમણે દોષિતો સામે કડક
કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
રવિવારે
રાત્રે થયેલા પોલિસ સ્ટેશનનાં આ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા
હતા. તે જ સમયે,
લેટિન
કેથોલિક ચર્ચે પણ તેના પર લાગેલા આરોપ પર સ્પષ્ટતા કરી અને દાવો કર્યો કે તેની
પાછળ બહારની શક્તિઓ છે. ચર્ચે તેની ન્યાયિક તપાસની માંગ કરી છે.