• Home
  • News
  • અમદાવાદનાં પૂર્વ મેયર બીજલ પટેલે ભાંગરો વાટતાં કહ્યું, ચૂંટણીની તારીખ ભાજપ સંગઠન નક્કી કરે છે
post

મીડિયા સેલની બેઠકમાં વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલમાં લાગ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 08:52:03

ભાજપના અમદાવાદ મીડિયા સેલની સોમવારે બેઠક હતી. આ બેઠક પૂરી થયા પછી પૂર્વ મેયર બીજલ પટેલે કહ્યું હતું કે ચૂંટણીની તારીખ તો ભાજપનું સંગઠન નક્કી કરે છે, એટલે એનો અર્થ એ થયો કે તારીખ ચૂંટણીપંચ નક્કી કરતું નથી. પૂર્વ મેયરે કહ્યું હતું કે મીડિયા સેલમાં આવવાથી એવું માની ન લેવું કે આપણી કોર્પોરેટર તરીકેની ટિકિટની દાવેદારી જશે. તેમના આવા નિવેદનથી ભાજપમાં એવી વાતે જોર પકડ્યું કે બહેને આવું કહીને તેમની દાવેદારી પાક્કી કરી નાખી.

વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતાં પૂર્વ મેયર બીજલ પટેલે વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ચૂંટણીપંચ ચૂંટણી ક્યારે કરવી, કઇ તારીખે મતગણતરી થશે સહિતની બાબતો નક્કી કરતું હોય છે, પણ પૂર્વ મેયરે ચૂંટણી તો ભાજપનું સંગઠન નક્કી કરે તેમ કહેતાં હાજર સૌકોઇ આશ્ચર્યચક્તિ થયા હતા. ભાજપના નેતાઓએ મેયરના નિવેદનને સુધારવા મથામણ કરી હતી.

મીડિયા સેલમાં આવવાથી ટિકિટની દાવેદારી જતી નથી
પૂર્વ મેયર બીજલ પટેલે ભાજપની મીડિયા સેલની બેઠક પૂરી થયા પછી હાજર કાર્યકરો-કોર્પોરેટરોને કહ્યું કે,મીડિયા સેલમાં આવવું જોઇએ. મીડિયા સેલમા આવીએ એટલે એવુ ન સમજવું કે આપણી દાવેદારી જતી રહેશે. આમ તેમણે આડકતરી રીતે ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post