કોંગ્રેસ છોડીને ભાજપમાં આવનારા ચારેય ધારાસભ્યોને ભાજપે ઈનામ આપ્યુંc
Written By newsonline | Ahmedabad | Published: 2024-03-26 16:45:59
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેરાત કરી દીધી છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્યપદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે. વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. નોંધનીય છે કે ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિસાવદર બેઠક પણ ખાલી પડી છે પરંતુ ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી ત્યાં પેટાચૂંટણી જાહેર નથી કરાઇ. 7મી મેના રોજ આ પાંચેય વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે.