નવા સંસદભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા થવું જોઈએ: ખડગે
દેશની
નવા સંસદભવનનું ઉદ્ઘાટન 28 મેના
રોજ થવા જઈ રહ્યું છે. તે પહેલાએ વિવાદિત મુદ્દો બન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, નવા સંસદભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા થવું
જોઈએ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તત્કાલીન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ સંસદભવનના શિલાન્યાસ સમારોહમાં સામેલ કરવામાં આવ્યા
ના હતા.
રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન
સમારોહ માટે આમંત્રણ આપવામાં જ નથી આવ્યું: ખડગે
તેમણે
કહ્યું,
“નવા
સંસદભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી
મુર્મુને ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં જ નથી આવ્યું. ત્યારે ભાજપ ઉપર
પ્રહાર કરતા તેમને જણાવ્યું હતું કે, ભાજપનું કહેવું છે કે, અમે SC/STને મહત્વ આપીએ છીએ, પરંતુ તેમને ક્યાં આપવું
જોઈએ તે મહત્વ અને સન્માન આપતા નથી.