રક્ષાક્ષેત્રમાં આજના સમયમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવરની માગ- નરેન્દ્ર મોદી
ગાંધીનગર: રાષ્ટ્રીય રક્ષા
યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીના નવા
સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય
રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે,
રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના
ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે.
તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે. આખા વિશ્વમાં માત્ર ગાંધીનગર એકમાત્રમાં
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે.
દિવ્યાંગ ભાઇ-બહેન ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે
મોદીએ વધુમાં જણાવ્યું છેકે,
આજના સમયામાં ક્રાઇમ ડિટેક્શન માટે ટેક્નોલોજી મદદરૂપ
થઇ રહી છે. તેવા સંજોગોમાં યોગ્ય લોકો પાસે યોગ્ય હથિયાર અને ટ્રેનિંગની જરૂર છે.
તમે કેટલાક કેસ સ્ટડી પણ ભણતા હશો. જેમાં ટેક્નોલોજીની મદદથી કેસ ઉકેલાયા છે.
માત્ર પરેડ એ રક્ષાક્ષેત્રનું કામ નથી. તેટલું નહીં દિવ્યાંગ ભાઇ-બહેન રક્ષાશક્તિ
ટ્રેનિંગ મેળવે તો રક્ષા ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે. આખા વિશ્વમાં
ફોરેન્સિક સાયન્સ અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાંય નથી અને છે તો તે માત્ર ભારતમાં
અને એ પણ ગાંધીનગરમાં છે. નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ અને રક્ષાશક્તિ યુનિવર્સિટી આ ત્રણેય યુનિવર્સિટી
સાયલોમાં-એક સુત્રતાથી કામ કરે તો ધાર્યું પરિણામ મળી શકે છે. ગુનેગારોનું માનસિક
અધ્યયન થવું જોઇએ કે જે જેલનો પણ માહોલ બદલવામાં કામ કરી શકે અને ગુનેગાર જેલમાંથી
પણ સારો માણસ બનીને બહાર નીકળે.
યુનિફોર્મવાળાને મનથી મસ્ત રહે તે કામ રક્ષાશક્તિ યુનિ. કરી શકે
મોદીએ જણાવ્યું છેકે, હવે કુંટુંબનો નાના થઇ રહ્યાં છે ત્યારે પોલીસ જવાનો 6,
12 કે 16 કલાક સુધી કામ કરે છે ત્યારે સ્ટ્રેસની અનૂભુતિ કરી રહ્યા છે. ત્યારે આવા સમયે
સ્ટ્રેસ ફ્રી એક્ટિવિટી, ટ્રેનિંગની જરૂરિયાત માટે
જરૂરી ટ્રેનર જોઇએ. રક્ષાશક્તિ યુનિવર્સિટી આવા ટ્રેનર તૈયાર કરી શકે અને
યુનિફોર્મવાળાને મનથી મસ્ત રહે તે કામ કરી શકે. સેનામાં યોગા ટીચર,
રિલેક્શેશન ટીચર જેવી આવશક્યતા પડી રહી છે. જે કામ આ
યુનિવર્સિટી કરી શકે છે.
રક્ષાના ક્ષેત્રમાં 21મી સદીના પડકારો અનુરુપ વ્યવસ્થા વિકસિત કરવાનો હેતુ
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે,
રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી દેશભરમાં રક્ષાના
ક્ષેત્રમાં જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડાનું નથી આ વિસ્તૃત ક્ષેત્ર છે.
તેમાં વેલ ટ્રેઇન્ડ મેનપાવર સમયની માગ છે. એટલા માટે રક્ષાના ક્ષેત્રમાં 21મી સદીના પડકારોને અનુરુપ આપણી વ્યવસ્થા વિકસિત થાય અને તેને સંભાળનારા
વ્યક્તિવનું પણ વિકાસ થાય તે હેતુ સાથે આ યુનિવર્સિટીનો જન્મ થયો. પહેલા આ
યુનિવર્સિટી ગુજરાત પુરતી હતી બાદમાં તેને કેન્દ્ર સરકારે યોગય્તા આપી. આ દેશનું
ઘરેણું છે. આજે એક પાવન અવસર છે. નમક સત્યાગ્રહ અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના
નેતૃત્વમાં જે આંદોલન શરૂ થયું હતું. આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યાં છીએ ત્યારે આ સત્યાગ્રહીઓને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ
કરું છું. આજનો દિવસ મારા માટે એક યાદગાર અવસર છે.
ટ્રેનિંગ મોડ્યુલ બદલવાની દિશામાં દેશનો આ પ્રથમ પ્રયોગ હતો
મોદીએ વધુમાં જણાવ્યું છેકે,
આઝાદી પછી પોલીસ રિફોર્મની જરૂર હતી પરંતુ
દુર્ભાગ્યપૂર્ણ આપણા દેશમાં એ દિશામાં જે કામ થવું જોઇતું હતું તે થયું નથી.
સામાન્ય માન્યતા એવી છેકે, ખાસ કરીને પોલીસ સંદર્ભે કે
તેમનાથી બચકે રહો, દૂર રહો. જો કે,
સેના યુનિફોર્મમાં આવે છે,
તેમને જોઇને આપણને કોઇ સંકટ નહીં આવે તેવી ભાવના પેદા
થાય છે. ભારતમાં આવા મેનપાવર સુરક્ષાક્ષેત્રે લાવવા જરૂરી છે. સામાન્ય માનવીના
મનમાં મિત્રતા, વિશ્વાસનો અનુભવ કરાવે.
ટ્રેનિંગ મોડ્યુલ બદલવાની જરૂર છે અને તેનો ભારતમાં આ પ્રથમ પ્રયોગ હતો અને રક્ષા
શક્તિ યુનિવર્સિટી દેશભરમાં વિસ્તરશે. આપણા દેશમાં પોલીસનું વરવું ચિત્ર રજૂ કરાય
છે. તે ફિલ્મ હોય કે અખબાર હોય પોલીસના ચિત્રણના કારણે સમાજમાં સત્ય પહોંચતું નથી.
કોરોનાકાળમાં પોલીસે કોઇને ખાવાનું કે દવા પહોંચાડીને માનવીય ચહેરા જનસામાન્યમાં
ઉભરી આવ્યા હતા. પરંતુ ફરી એ અટકી ગયું.