કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27મી સપ્ટેમ્બર મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની
ચૂંટણી હવે એકદમ નજીક છે. ટૂંક સમયમાં જાહેરાત થાય એવી શક્યતા છે. ત્યારે
કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ગઈ છે. વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસથી
ગુજરાતમાં હતા. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના
ચાર નેતા આજે ગુજરાત આવી રહ્યા છે. એ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આજે
ગુજરાત આવી રહ્યા છે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાત આવી રહ્યા છે.
ત્યારે ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરી
દેવાયા છે. એક જ અઠવાડિયામાં બીજી વખત અમિત શાહ ચૂંટણીલક્ષી બેઠકોનો દૌર આગળ વધારી
રહ્યા છે. અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે.
મંગળવારે સવા કલાકથી
વધુ સમય સુધી બેઠક ચાલી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27મી સપ્ટેમ્બર મંગળવારે
ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની
ઉપસ્થિતિમાં બંધબારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા
કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને
નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા. ભાજપની બેઠકમાં
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે અક્રમકતાથી લડવા અને કઇ રીતે લોકો સુધી પાહોચી
શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી બાબતે ચર્ચા કરી સરકારની સિદ્ધિઓ
લોકો વચ્ચે પહોંચાડવા વધુ આક્રમકતાથી જવા સૂચનો જારી કર્યા હતા.
સ્મૃતિ ઈરાની હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમની કરશે શરૂઆત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે
ગુજરાતમાં ભાજપ સત્તાનું પુનરાવર્તન માટે રહી છે,
ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તાનું
પરિવર્તન માટે પૂરી તાકાતથી મેદાને ઊતરી ચૂકી છે અને ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાઓ
પ્રવાસ કરી રહ્યા છે , રણનીતિ ઘડી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપનો મહિલા કોનકલેવ હેલ્લો કમલ શક્તિનો
પ્રારંભ, આજે સ્મૃતિ ઈરાની તેમજ પ્રદેશ
અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે થઈ રહ્યો છે, જેમાં ભાજપ મહિલાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરશે. આ નંબર પર મહિલાઓ મિસ કોલ
કરી શકશે. એ બાદ મહિલાઓ સાથે ભાજપ નેતા સંવાદ કરી શકશે. હેલ્લો કમલ શક્તિ
કાર્યક્રમની શરૂઆત બાદ ગુજરાત પ્રવાસે આવેલ કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં નેતા
સ્મૃતિ ઈરાની મહિલાના ઘરે જઈ આવ્યા બાદ હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં જોડાશે.
કેજરીવાલ સહિત AAPના ત્રણ નેતા ગુજરાતમાં
અરવિંદ કેજરીવાલ હવે દર સપ્તાહે ગુજરાતનો પ્રવાસ કરી
રહ્યા છે. ત્યારે હવે આજે આમ આદમી પાર્ટીના એકસાથે 4
નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ
કેજરીવાલ, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ
સિસોદિયા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ
દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 4 સભા સંબોધશે. આજે ગુજરાતના પ્રવાસે આવી રહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન
કચ્છથી બેઠકોનો દૌર શરૂ કરશે. ગાંધીધામના ડીટીપી ગ્રાઉન્ડ પર સભાને સંબોધશે. ત્યાર
બાદ જૂનાગઢ જોષીપુરામાં ખોડલ ફાર્મમાં બપોરે 3
કલાકે સભા સંબોધશે. જૂનાગઢની સભા બાદ કેજરીવાલ અને
ભગવંત માન રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે સુરેન્દ્રનગર એમપી કોલેજમાં
જાહેર સભા સંબોધશે. ત્યાર બાદ સાંજના 4 કલાકે ખેડબ્રહ્મા ખાતે સભા સંબોધશે.