ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં ત્રણ દિવસ માટે બરતરફ કરાયેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આવતીકાલે વિધાનસભામાં રજૂ થનારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગેનું વિધેયક વિધાનસભા પરિસરમાં જ સળગાવ્યું છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-12-10 15:18:44
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં ત્રણ દિવસ માટે બરતરફ
કરાયેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આવતીકાલે વિધાનસભામાં રજૂ થનારા સ્ટેચ્યૂ
ઓફ યુનિટી અંગેનું વિધેયક વિધાનસભા પરિસરમાં જ સળગાવ્યું છે. મેવાણીએ આજે મીડિયા
સમક્ષ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગેના વિધેયકની નકલને આગ લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો
હતો.