પૌત્રીની સગાઈમાં 2000 લોકોનું ટોળું ભેગું થતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો
રાજ્યના પૂર્વ માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની
સગાઈમાં કોરોના ગાઈડ લાઈનનું સરેઆમ ઉલંઘન કરી 2000 લોકોની ટોળું ભેગું કરવાના મુદ્દે
ગુજરાત હાઈકોર્ટે લાલઆંખ કરી આ મામલે જિલ્લા એસપી અને સ્થાનિક પોલીસ સામે નારાજગી
વ્યક્ત કરી છે. આ મામલે ફરિયાદ દાખલ થઈ છે કે નહીં તે અંગેની માહિતી માંગી હતી.
ગઈકાલે ડોસવાડા ગામે રાજ્યના પુર્વ આદિજાતિમંત્રી અને
સુમુલના ડિરેકટર એવા કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ 30મી નવેમ્બરે ડોસવાડાના ભગત ફળિયામાં
કરવામા આવી હતી. આ પ્રસંગે ગાઈડલાઈનનો સંપૂર્ણ ભંગ થયો હતો. સોશિયલ ડિસ્ટનસિંગના
ધજાગરા જોવા મળ્યા હતા. રાત્રે હજારો લોકો એકત્રિત થઇ ગરબા યોજવામાં આવ્યા હતા.
સગાઈના પ્રસંગમાં લોકોએ મોઢે માસ્ક બાંધ્યું ન હતું કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યું
ન હતું. આ સગાઈ પ્રસંગના મોટી મેદની સાથેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા
હતા. હાલમાં વિશ્વ વ્યાપી કોરોના મહામારીને વધતી અટકાવવા સરકાર વિવિધ ગાઈડ લાઇન
બહાર પાડે છે. સામાજિક પ્રસંગોએ 100થી વધુ લોકો ભેગા ન થાય એ માટે સૂચના આપી છે. જો કે
કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષના નેતાઓ ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરે છે. જ્યારે
સામાન્ય વ્યક્તિ પાસે આવા જ કારણોસર દંડ વસૂલ કરે છે.
સોશિયલ ડિસ્ટન્સનો અભાવ એ મારી ભૂલ
થઈ ગઈ છે અને એની હું માફી પણ માંગુ છું: કાંતિ ગામીત
આ
મુદ્દે કાંતિ ગામીતે જણાવ્યું હતું કે, અમારે ત્યાં મારા પિતાના વખતથી
તુલસી વિવાહનો કાર્યક્રમ વર્ષોથી ચાલતો આવ્યો છે. એ પ્રમાણે સોમવારે તુલસી વિવાહ
આયોજિત થયો હતો. સાથોસાથ આ શુભપ્રસંગે મારી પૌત્રીની સગાઈ વિધિ પણ થઈ હતી. આ
સંદર્ભે હું કે મારા પરિવાર દ્વારા કોઈ ને આમંત્રણ આપવામાં આવ્યું નથી પરંતુ મારા
સંબંધોને કારણે લોકો સ્વયંભુ આવી ગયા હતા. દર વર્ષની માફક અંદાજીત 1500થી 2000 માણસોનું જમવાનું પણ બનાવવામાં
આવ્યું હતું. કોરોના સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સ અંગે તકેદારી ન રાખવાની મારી ભૂલ થઈ
ગઈ છે અને એની હું માફી પણ માંગુ છું.આ પ્રસંગ અંગે પોલીસ પાસે કોઈ પરમિશન લીધી ન
હતી અને આ અંગે પોલીસે હાલ મને જવાબ લેવા બોલાવ્યો છે.
તંત્રની પણ લાપરવાહી ખુલીને સામે
આવી
માજી
મંત્રીના ઘરે પૌત્રીની સગાઈ પ્રસંગે ભીડ ભેગી થઈ એમાં સરકારી અને પોલીસની લાપરવાહી
ખુલીને સામે આવી હતી. સોનગઢ પોલીસ સ્ટાફ નગરમાં દુકાનમાં માસ્ક વિના એકલા બેસેલા
દુકાનદારો પાસે અને રસ્તા પરથી પસાર થતાં સામાન્ય લોકો પાસે માસ્ક ન પહેરવા બદલ
તોતિંગ દંડ વસૂલ કરે છે. પરંતુ રાજકીય નેતાઓ અને આયોજનો સામે આ જ પોલીસ વામણી બની
જાય છે. કાયદા અને નિયમો ની અમલવારીમાં થતા આ ભેદભાવ સામે લોકો એ ભારે નારાજગી
વ્યક્ત કરી હતી.
સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ
આર.
એલ. માવાણી, નાયબ
પોલીસ વડા, તાપી-
ડોસવાડામાં તુલસી વિવાહ અને સગાઈના પ્રસંગ આયોજિત થયો હતો, એમાં કોવિડ-19ની ગાઈડલાઇનનો ભંગ થયો હોવાનું
ધ્યાને આવ્યું હતું. આ સંદર્ભે જેમની પુત્રીની સગાઈ હતી એવા કાંતિભાઈ ગામીતના
પુત્ર જીતુભાઇ ગામીત સામે આઈપીસી કલમ 279,270 અને એપિડેમિક ડિસીસ એક્ટ અને
જાહેરનામાં ભંગ બાબતે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. આ સંદર્ભે તપાસ શરૂ
કરાઈ છે અને કોઈની અટક થઈ નથી.