ગયા વર્ષે અમિત શાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદમાં છે. શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના
પરિવાર સાથે ઉજવે છે ત્યારે આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં ઉત્તરાયણ મનાવી હતી.
દરમિયાન તેઓ થલતેજના મેપલ ટ્રી ફ્લેટના PME-બ્લોક ખાતે પતંગબાજી કરી
હતી.
અહીં સમર્થકો અને
સ્થાનિકોનો જમાવડો જોવા મળ્યો હતો. તેમણે અહીં લોકોનું અભિવાદન ઝીલી સહુનો આભાર
માન્યો હતો. શાહ થલતેજ બાદ ઘાટલોડિયાના અર્જુન ટાવર ખાતે પણ પતંગ ચગાવવા જવા હતા
પરંતુ સમયના અભાવના કારણે ગયા ન હતા.
ગયા વર્ષે અમિત શાહે અમદાવાદમાં
જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે આનંદનગર રોડ પર આવેલા કનકકલા એપાર્ટમેન્ટ, વાડજ, અને સરખેજ સહિત ચાર
જગ્યાએ ઉતરાયણની ઉજવણી કરી હતી.. કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર
કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર
કર્યાં છે.