• Home
  • News
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે વરસાદના લીધે રદ્દ થઇ, બીજી અને ત્રીજી વનડેમાં પ્રેક્ષકોને એન્ટ્રી મળશે નહીં
post

સીરિઝની બીજી વનડે 15 માર્ચે લખનૌમાં અને ત્રીજી વનડે 18 માર્ચે કોલકાતામાં રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-13 11:07:21

ધર્મશાલા : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે સીરિઝની ધર્મશાલા ખાતેની પ્રથમ મેચ વરસાદના લીધે રદ્દ કરવામાં આવી છે. મેચમાં ટોસ પણ થઇ શક્યો ન હતો. 20-20 ઓવરની મેચ માટે રમત 6:30 વાગે શરૂ થાય તે જરૂરી હતું. પરંતુ વરસાદ ન અટકતા મેચ રદ્દ કરવામાં આવી હતી. સીરિઝની બીજી મેચ 15 માર્ચના રોજ લખનૌમાં રમાશે. BCCIનાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની બીજી અને ત્રીજી વન-ડેમાં લખનૌ અને કોલકાતાના સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જવાની મંજૂરી નહીં અપાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post