સીરિઝની બીજી વનડે 15 માર્ચે લખનૌમાં અને ત્રીજી વનડે 18 માર્ચે કોલકાતામાં રમાશે
Written By newsonline | Ahmedabad | Published: 2020-03-13 11:07:21
ધર્મશાલા : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે સીરિઝની ધર્મશાલા ખાતેની પ્રથમ મેચ વરસાદના લીધે રદ્દ કરવામાં આવી છે. મેચમાં ટોસ પણ થઇ શક્યો ન હતો. 20-20 ઓવરની મેચ માટે રમત 6:30 વાગે શરૂ થાય તે જરૂરી હતું. પરંતુ વરસાદ ન અટકતા મેચ રદ્દ કરવામાં આવી હતી. સીરિઝની બીજી મેચ 15 માર્ચના રોજ લખનૌમાં રમાશે. BCCIનાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની બીજી અને ત્રીજી વન-ડેમાં લખનૌ અને કોલકાતાના સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જવાની મંજૂરી નહીં અપાય.