• Home
  • News
  • અમદાવાદના ઘાટલોડિયામાં રહસ્મયમય આપઘાત, 65 વર્ષીય વૃદ્ધા સેનેટાઈઝરથી સળગી 5માં માળેથી કૂદ્યા
post

પત્ની અને બે બાળકીઓને જાણ ન થાય તે રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 12:16:59

અમદાવાદ (Ahmedabad)ના ઘાટલોડિયા (Ghatlodia)માં એક મોટી દુર્ઘટના થઈ છે. અમદાવાદના વૃદ્ધે ઘરની બાલ્કનીમાંથી પોતાને આગ લગાવી પાંચમા માળેથી નીચે કૂદકો માર્યો છે. આ ઘટના બાદ ફાયર-પોલીસ (Fire And Police) અને 108ની ટીમ દોડતી થઈ ગઈ હતી. હાલ સોશિયલ મીડિયા (Social Media)માં આ ઘટનાને CCTV ફૂટેજ બહાર આવ્યાં છે.

અમદાવાદના ઘાટલોડિયા (Ghatlodiya) માં કે.કે.નગરના સમર્પણ ટાવરના 5મા માળેથી સળગતી હાલતમાં વૃદ્ધ બિલ્ડીંગ પરથી ઝંપલાવી આપઘાત કર્યો છે. પોલીસે આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે ઘરના કોઈ વ્યક્તિને જાણ ન થાય તે રીતે વૃદ્ધે સેનેટાઈઝર નાંખીને સળગી ઝંપલાવ્યુ હતું. આપઘાત કરવાનું કારણ અકબંધ છે.

આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું. ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉ.વ.65) નામના વૃદ્ધે ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી અને સળગી નીચે કૂદકો માર્યો હતો.

પત્ની અને બે બાળકીઓને જાણ ન થાય તે રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પંચનામું કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post