• Home
  • News
  • ડાયમંડ સિટી સુરતમાં હવે નવા વર્ષે પર્લ ફાર્મિંગ શરૂ થશે, રૂ.40 હજારના ખર્ચમાં 2 લાખની કમાણીનો અંદાજ
post

દેશમાં કુલ 28 ટકા મોતીની આયાત થાય છે, નવા વર્ષથી હવે સુરતનો નોધપાત્ર ફાળો નોંધાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-29 11:54:46

સુરતમાં પ્રથમ વખત જાન્યુઆરી-2021થી જ ડિઝાઈનર મોતીની ખેતી શરૂ થનારી છે. જે અલખા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. 10 દિવસ અગાઉ જ અમદાવાદમાં મોતીની ખેતી શરૂ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કુલ 28 ટકા મોતીની આયાત થાય છે. આ ખેતીમાં રૂ.40 હજારના ખર્ચમાં 2 લાખની કમાણીનો અંદાજ છે.

અલખા ફાઉન્ડેશનના સેક્રેટરી નરેન્દ્ર ગર્વા જણાવે છે કે, ઝીંગા અને અન્ય સી-ફૂડ બિઝનેસ જાણીતો છે. પણ મોતીની ખેતીને 10થી 30 ડિગ્રી તાપમાન આવશ્યક છે. ગુજરાતનું વાતાવરણ મોતીની ખેતી માટે અનુકૂળ હોવાનો મત તજજ્ઞોએ વ્યક્ત કર્યો છે.

અમદાવાદમાં શરૂ થયેલી આ પ્રકારની ખેતીમાં અત્યાર સુધી 2 સાહસિકો જોડાયા છે. ખેતી થકી મોતીની ખેતી થકી 10થી 15 વર્ષમાં 15 ટકા સુધી ગુજરાત યોગદાન કરશે તેવો મત વ્યક્ત કર્યો છે.અત્યાર સુધી યુપી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને એમપીમાં પ્રોડક્શન થતું હતું, હવે ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારની ખેતી માટે તૈયારી ચાલી રહી છે.

સુરતમાં ડિઝાઈનર મોતીને તૈયાર થતાં 12 માસ લાગશે
3
પ્રકારની શીપ ભારતમાં મળી આવે છે. જેમાંના કોરિઓલિસ અને માર્જિનલિસા કોરિઓલિસ જે ગંગા નદીમાંથી મળી આવે છે. કોરિઓલિસ પ્રકારના શીપ સ્થિર પાણીમાં મરી જાય છે જોકે, તેની ક્વોલિટી ખૂબ સારી હોઈ છે. જ્યારે માર્જિનલિસા કોરિઓલિસ સ્થિર અને સતત વહેણવાળા પાણી બંનેમાં જીવતા રહે છે. જ્યારે સુરતમાં તૈયાર થનારા ડિઝાઈનર મોતી 12 થી 13 મહિનામાં તૈયાર થઈ જશે.

કઈ રીતે મોતીની ખેતી થશે, આખુ મોતી કેમ બને?
સૌથી પહેલાં છીપ મંગાવે છે. જે નદીઓમાંથી મળે છે. મરી ગયેલી શેલનો પાવડર તૈયાર કરાય છે. જેના મિશ્રણથી બીજ તૈયાર કરાય છે. છીપની અંદર જીવંત માસનો ટુકડો હોઈ છે. જેના પર સર્જરી કરીને બીજ ઈમ્પ્લાન્ટ કરાય છે. જ્યારે પણ છીપને દુ:ખાવો થાય છે ત્યારે તે બીજની ઉપર કેલિશ્યમ છોડે છે. આ પ્રોસેસને પગલે એક વર્ષે મોતી તૈયાર થાય છે. ડિઝાઈનર છીપમાં ખાના હોઈ છે. જેમાં ડેન્ટલ પાવડરથી ડિઝાઈનર મોતી તૈયાર થાય છે.

રૂ.40 હજારના ખર્ચમાં 2 લાખની કમાણીનો અંદાજ
15
ફૂટ પહોળા, 15 ફૂટ લાંબાં તથા 6 ફૂટ ઉંડા પાણીમાં એક હજાર છીપની ખેતી થઈ શકે છે. રૂ.30 થી 40 હજારના ખર્ચથી તેની ખેતી શરૂ થઈ શકે છે. એક વર્ષ સુધી પાણીમાં એમોનિયા અને પીએચપી લેવલ મેઈન્ટેઈન કરવુ પડે છે. અંદાજ છે કે 500 છીપ મરી શકે છે જોકે, બાકીના 500 છીપ બચે તો પ્રત્યેક છીપ દીઠ 2 મોતી તૈયાર થતાં હોઈ છે. આ છીપ એલગી ખાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post