• Home
  • News
  • અનંતનાગમાં સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના 3 આતંકીઓને ઠાર માર્યા
post

અનંતનાગમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 12:58:59

શ્રીનગરઃ અનંતનાગમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા શ્રીનગરથી 58 કિમી દૂર આવેલા પઝલપોરામાં છુપાયેલા આતંકીઓને ઘેરીને એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ હિઝબુલ મુદ્દાહિનના સભ્ય હતા. જેમાં હિઝબુલ મુઝાહિદ્દીન કમાંડર નાસિર ચદરૂપણ સામેલ હતો.એન્કાઉન્ટર હાલ પણ ચાલી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક ટ્રક ડ્રાઈવરની આતંકીઓ દ્વારા હત્યા અને સફરજનની વાડીના માલિક સાથેના મારઝૂડની ઘટના બાદ અનંતનાગમાં બુધવારે પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટ થયું હતું. શોપિયામાં ટ્રક ડ્રાઈવરની હત્યાનો આરોપ બે આતંકીઓ પર લાગ્યો છે, જેમાંથી એક પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, હાલ પણ પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષાબળોએ પઝલપોરા વિસ્તારમાં છુપાયેલા આતંકીઓને ઘેરી લીધા છે. આ વિસ્તાર શ્રીનગરથી 58 કિમી દૂર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post