AMTS બસોથી મુસાફરોને શહેરનાં વિવિધ સ્થળે પહોંચાડવા વ્યવસ્થા
શહેરમાં ગઈકાલ રાતના 9 વાગ્યાથી સોમવાર સવાર
સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જેની વચ્ચે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર
મુસાફરોની ભીડ જામી છે. બહારથી આવેલા મુસાફરોની ભીડ સ્ટેશન બહાર થઈ છે. AMTS બસોની વ્યવસ્થા છતાં
મુસાફરોનો જમાવડો થયો છે. ઘણા મુસાફરોને બસ અંગે જાણ ન થતાં તેઓ અટવાયેલા છે. આ
સ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા.
રિઝર્વેશન કરી આવતા
મુસાફરોને રેલવે સ્ટેશન બહારથી ઘરે પહોંચવા સંઘર્ષ
બહારગામથી આવતા જ
મુસાફરોની ભીડ છે. જેમ જેમ ટ્રેન અમદાવાદ આવી રહી છે તેમ મુસાફરો આવી રહ્યા છે અને
તેમને ઘરે પહોંચાડવામાં આવે છે. રેલવે સ્ટેશન પર માત્ર રિઝર્વેશન કરાવેલા પેસેન્જર
જ આવી રહ્યા છે. રિક્ષાઓ બંધ અને ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધના કારણે AMTS બસ મૂકવામાં આવી છે, જેમાં તેમને તેમના
વિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.