• Home
  • News
  • હત્યા બાદ આત્મહત્યા:જામનગરમાં મોટા બહેનને ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ ભાઇએ ઝેર પી બંને હાથની નસો કાપી નાખી આપઘાત કર્યો
post

રામેશ્વરનગરમાં રહેતા વૃદ્ધા અને તેના ભાઇની રહસ્યમય સંજોગોમાં લાશો મળવાની ઘટના

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 09:43:51

જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતા અપરિણીત વૃદ્ધ મહિલા અને તેના વૃદ્ધ ભાઈની 17 કલાકના અંતરમાં લાશો મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસને પ્રથમ તો આ બનાવ આપઘાતનો લાગ્યો હતો, પરંતુ ભાઈ પાસેથી મળીને સ્યુસાઈડ નોટ અને પોસ્ટમોર્ટમ થતાં ઘટસ્ફોટ થયો હતો કે, વૃદ્ધ ભાઈએ પ્રથમ તેની બહેનને ગળાટૂંપો આપી મારી નાખી હતી બાદમાં પોતે ઝેરી દવા પી બન્ને હાથોની નસો કાપી આપઘાત કરી લીધો હતો. આ બનાવથી શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતા હર્ષિદાબેન છગનલાલ જેઠવા (ઉ.વ.67) નામના વૃદ્ધા જે સિક્યોરિટીમાં પણ નોકરી કરતા હતા તેની લાશ મંગળવારે રાત્રે સવા આઠ વાગ્યે તેના ઘરેથી મળી આવી હતી. પોલીસે તેની લાશનો કબજો સંભાળી અકસ્માતે મૃત્યુ નોંધ કરી કે મરણજનારને જન્મથી જ આંચકીની બીમારી હોય જેના કારણે તેનું મોત થયાની શક્યતાથી તપાસ શરૂ કરી હતી. હજુ તપાસ શરૂ થઈ નથી ત્યાં સવારે હર્ષિદાબેનના ભાઈ અનિલ છગનભાઈ જેઠવા (ઉ.વ.58) કે જે મહાનગરપાલિકામાં નોકરી કરે છે તેની લાશ જૂની આરટીઓ પાસેના તળાવ નજીકથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. 17 કલાકના અંતરે વૃદ્ધ ભાઈ-બહેનની લાશો મળતા શહેરભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન પોલીસે બન્નેનું પોસ્ટમોર્ટમ કરાવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં અનિલભાઈએ તેની વૃદ્ધ બહેનનું ગળું દાબીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું ત્યારબાદ અનિલને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી, પરંતુ તેનાથી તે મરશે નહીં તેવું લાગતા તેણે બન્ને હાથોની નસો કાપીને આપઘાત કરી લીધો હતો.આખો ઘટનાક્રમ બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. વૃદ્ધ ભાઈ-બહેનનું આવા સંજોગોમાં મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે તો માનસિક બીમારી માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતક અનિલની લખેલી મનાતી સ્યુસાઈડ નોટ કબજે કરી તપાસ આગળ ધપાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post