શહેરમાં ગઇકાલે ડિંડોલી વિસ્તારમાં આજે સવારે નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ ઉપર સિટી બસનાં ચાલકે સામેથી આવી રહેલા મોટરસાયકલને અડફેટે લેતાં બે બાળકોનાં ઘટનાસ્થળે તથા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું
સુરત : શહેરમાં ગઇકાલે ડિંડોલી વિસ્તારમાં આજે
સવારે નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ ઉપર સિટી બસનાં ચાલકે સામેથી આવી રહેલા મોટરસાયકલને
અડફેટે લેતાં બે બાળકોનાં ઘટનાસ્થળે તથા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું
હતું. જેમાં મોતનાં બીજા દિવસે પણ પરિવારજનોએ મૃતદેહો સ્વિકાર્યા નથી. મૃતકોનાં
પરિવારની માંગ છે કે, પરિવારમાં કોઇ કમાનારૂં નથી રહ્યું
તો પત્નીને સરકારી નોકરી આપો. આ સાથે પ્રત્યેક મૃતકને 10-10 લાખ રૂપિયાની
સહાય આપો. અહીં વારંવાર અકસ્માત થાય છે તો રેલવે ફાટક પણ ખોલી નાંખવું જોઇએ.
સીટી બસની અડફટથી યશવંતભાઈની મોટરસાયકલ પાછળ આવતી અન્ય મોટરસાયકલ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સીટી બસની ટક્કર જોરમાં લાગતા યશવંતભાઈ, પુત્ર ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જયારે બીજા પુત્ર સાહિલને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાં એકત્ર થયેલા લોકો સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી બાદમાં તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાછળ ભટકાયેલી બાઇકનાં ચાલક રઘુરામ ઠાકુરને હાથમાં ઇજા થઇ હતી.