સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પધારી રહ્યા છે
સુરત: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે, ત્યારે સુરતમાં એક કાપડ
વેપારી દ્વારા હનુમાન દાદાને પ્રિય એવી ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે. આ
ચાંદીની ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સુરતના જાણીતા
જ્વેલર્સ દ્વારા હેન્ડ મેડ ગદા તૈયાર કરવામાં આવી છે.
15 દિવસમાં ગદા તૈયાર
કરવામાં આવી
સુરતના જ્વેલર્સ દ્વારા 15 દિવસ જેટલો સમય ગદા તૈયાર કરવામાં લાગ્યો હતો. તેમજ ચાર
કારીગર દ્વારા સંર્પૂણ હેન્ડ મેડથી આ ગદા તૈયાર કરવામાં આવી છે. હનુમાનજીને ગદા
ખૂબ જ પ્રિય છે, માટે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજને આ ગદા ભેટ સ્વરૂપે આપવામાં આવશે. ગદા સૌ
કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઉદ્યોગપતિએ ગદા બનાવડાવી
સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પધારી રહ્યા છે.
26 અને 27 મેના રોજ એમ બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. તડામાર તૈયારીઓ પણ
સુરતમાં રહેતા કાપડ વેપારી સાવરપ્રસાદ બુદ્ધિયાએ જ્વેલર્સ પાસે હનુમાન દાદાને
પ્રિય એવી ચાંદીની ખાસ ગદા બનાવી છે.
ઓર્ડર આવતા ગદા બનાવી
જ્વેલર્સ દીપકભાઈએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્સટાઇલના
ઉદ્યોગપતિ રામભક્ત સાવરપ્રસાદ બુદ્ધિયાજીએ અમને એક ગદા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. 1161 ગ્રામની ચાંદીની આ ગદા
બનાવવામાં આવી છે. આ ગદામાં ભારતીય કારીગરીના દર્શન જોવા મળશે. ગદા નિર્માણ કરતી
વખતે દરેક એંગલથી ધ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યારે કોઈ પણ ધાર્મિક વસ્તુનું
નિર્માણ થાય છે ત્યારે જેટલા પણ પ્રિકોશન રાખવા જોઈએ એ તમામ પ્રિકોશન રાખીને ગદાના
વિધિ વિધાનને ધ્યાનમાં રાખી રીતે આ ગદા બનાવી છે.
મહારાજ પ્રત્યેનો અમારા સૌનો પ્રેમ
કાપડ વેપારી સાવરપ્રસાદ બુદ્ધિયાએ જણાવ્યું હતું કે, બાગેશ્વરધામના
ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતની પાવન ધરતી પર પધારી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહ છે. આ
ગદા ધીરેન્દ્ર શાસ્ત્રીને મંદિરમાં સમર્પિત કરવા માટે અર્પણ કરવામાં આવશે. આ માત્ર
હું એક નહીં પરંતુ સુરત શહેર તરફથી અર્પણ કરવામાં આવશે.