• Home
  • News
  • સફાઈકર્મીઓની હડતાળથી શહેરના હાલ બેહાલ, એકતરફ ઠેર-ઠેર કચરાના ઢગલા બીજીતરફ 1500 કર્મીઓ માટે ભોજનની વ્યવસ્થા
post

અમદાવાદના સફાઈકર્મીઓ પણ ખેડૂત આંદોલનના માર્ગે, ધરણાંમાં સામેલ લોકો માટે સ્થળ પર જ જમવાની વ્યવસ્થા કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 14:10:18

સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન હાલ ચર્ચામાં છે પણ હવે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતું સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. આજે સવારે બોડકદેવની કોર્પોરેશન કચેરી બહાર સફાઈ કામદારો માટે જમવાની વ્યવસ્થા શરૂ થઈ છે. રીતસર રસોડા શરૂ કરવામાં આવ્યા છે.ગરીબ લોકો પોતાના પાસેથી 10 કે 20 રૂપિયા આપીને મદદ કરી અને જમવાનું અને પાણી આંદોલનકારી માટે વ્યવસ્થા કરી છે. બીજીતરફ સફાઈકર્મીઓ હડતાળ પર હોવાથી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે. સાફસફાઈ ન થતાં રોડ પર કચરાના ઢગલા થઈ ગયા છેજેને કારણે વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. કચરામાં વપરાયેલાં માસ્ક તેમજ અન્ય વસ્તુઓ પડેલી હોવાથી વાઈરસનું જોખમ પણ વધી શકે છે.

સફાઈ કર્મચારીઓ પોતાના માંગો માટે આવ્યા પણ ભુખ તરસ તેમના આંદોલનને હચમચાવી શકે નહીં તે માટે લોકો એકત્ર થયા છે. અહીંયા હાજર લોકોએ પોતાના પાસેથી 20, 25 રૂપિયા મદદ કરીને ખીચડી બનાવીને 1500 જેટલા ફૂડ પેકેટ બનાવ્યા છે. અહીંયા લોકો જમવાનું બનાવવાની મદદ કરી રહ્યા છે. તો કોઈ પાણી અને અન્ય વ્યવસ્થા કરી છે. અહીંયા હાજર લોકોના જણાવ્યા અનુસાર હવેતેઓ રાતે પણ અહીંયા રહીને અદોલન ચાલુ રાખશે જ્યાં સુધી તેમની માંગો નહિ સ્વીકારી લેવાય ત્યાં સુધી તેઓ પોતાનું ઉગ્ર અદોલન ચાલુ રાખશે.

સફાઈકર્મીઓ હડતાળથી શહેરના હાલ બે હાલ

પીઆઇ આર.એમ. સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતીજેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપમેયરકમિશનરના સૂત્રોચ્ચાર કર્યાગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો. સફાઈકર્મીઓએ બપોર બાદ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કરી રાખ્યો હતો. DYMC ખરસાણ સામે ફરિયાદ નોંધવા ત્રણ વખત પોલીસ સાથે વાટાઘાટો છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. સફાઈકર્મીઓ પોલીસ ફરિયાદની માગ પર અડગ છે અને ત્રણ કલાકથી રસ્તો રોકી કર્મચારીઓ બેઠા હતા.

પહેલીવાર પોલીસ સ્ટેશનના દરવાજા બંધ
સફાઈકર્મીઓ બોડકદેવ ખાતે આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે ભેગા થયા હતા. કર્મીઓની ભીડ જામતાં બોડકદેવ ઝોનલ ઓફિસના ગેટ પોલીસે બંધ કરાવી દીધા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી હોય કે સામાન્ય માણસ હોયકોઈને પણ અંદર જવાની પરમિશન આપવામાં આવી ન હતી. પોલીસે ઝોનલ ઓફિસના ગેટને બંધ કરાવી દેતાં કામકાજ અટકી પડ્યું હતું. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પણ ગેટ બંધ કરી દેવાતાં નોકર મંડળ દ્વારા આકરા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post