લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. ત્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 16 બેઠક પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની
શિવસેના (UBT) એ બુધવારે 16 બેઠકો માટે ઉમેદવારો જાહેર
કર્યા. તેમાંથી એવી ઘણી બેઠકો છે કે
જેના પર કોંગ્રેસ તેના ઉમેદવારો ઉભા કરવા માંગતી હતી,
પરંતુ ઉદ્ધવની શિવસેનાએ તેના ઉમેદવારો જાહેર કર્યા. આ બેઠકોમાં સાંગલી અને મુંબઈ
દક્ષિણ મધ્ય લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. ઉદ્ધવ ઠાકરે UBT એ મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા બેઠક પરથી અનિલ દેસાઈના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ આ બેઠક પરથી વર્ષા
ગાયકવાડને મેદાનમાં ઉતારવા માંગતી હતી.
બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકર પહેલાથી જ નારાજ છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું
કે શિવસેના સાથે ઉદ્ધવનું ગઠબંધન હવે રહ્યું નથી. એમવીએ આવતીકાલે બેઠકોની જાહેરાત કરે તે પહેલાં જ ઉદ્ધવ જૂથે આજે જાહેરાત કરી
હતી. આ દરમિયાન સંજય રાઉતે કહ્યું
કે તેમની પાર્ટી 22 સીટો પર ચૂંટણી લડશે. હાલમાં 17 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની
જાહેરાત કરવામાં આવી છે.
ખિચડી કૌભાંડમાં EDએ અમોલ કીર્તિકરને સમન્સ:
ED એ
કોવિડ ખીચડી કૌભાંડના સંબંધમાં શિવસેના (UBT)
નેતા અમોલ કીર્તિકરને સમન્સ જારી કર્યું છે. શિવસેના (UBT) દ્વારા કીર્તિકરને મુંબઈ
ઉત્તર પશ્ચિમ મતવિસ્તારમાંથી સાંસદ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે
કીર્તિકરને આજે EDના અધિકારીઓએ સમન્સ પાઠવ્યા હતા. ખિચડી કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પણ કીર્તિકરની
અગાઉ તપાસ કરવામાં આવી હતી.
શિવસેનાએ 16 ઉમેદવાર જાહેર કર્યા:
બુલઢાણાથી નરેન્દ્ર ખેડેકર,
યવતમાલ-વાશિમથી સંજય દેશમુખ,
માવલથી સંજોગ વાઘરે પાટીલ,
સાંગલીથી ચંદ્રહર પાટીલ,
હિંગોલીથી નાગેશ પાટીલ અષ્ટિકર, સંભાજીનગરથી ચંદ્રકાંત ખૈરે, ધારશિવથી ઓમરાજે નિમ્બાલકર, ભાઉસાહેબ વાઘેકર, નાગેશ વાઘરે, નાગેશ પાટીલને ટિકિટ મળી છે.
રાયગઢથી રાજાભાઈ વાજે, રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગીરીથી વિનાયક રાઉત, થાણેથી રાજન વિચારે, મુંબઈ ઉત્તર-પૂર્વથી સંજય દિના પાટીલ,
મુંબઈ દક્ષિણથી અરવિંદ સાવંત,
મુંબઈ ઉત્તર-પશ્ચિમથી અમોલ કીર્તિકર અને પરભણી બેઠક
પરથી સંજય જાધવને ટિકિટ આપવામાં આવી છે.