• Home
  • News
  • અમદાવાદની 70 ટકા પોલીસ સ્વસ્થ જ્યારે 30 ટકા બ્લડપ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા, ભંગદરથી પીડિત
post

2018-2019માં શહેરના 6 હજાર પોલીસ કર્મચારીના મેડિકલ ટેસ્ટમાંથી મળેલી ચોંકાવનારી માહિતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 10:17:20

અમદાવાદના 30 ટકા પોલીસ કર્મચારીઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા, મસા, ભગંદર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બન્યા છે. આ સાથે 10 ટકા જેટલા પોલીસ કર્મચારીઓ પાન, મસાલા, બીડી, સિગારેટ સહિતના વ્યસનના બંધાણી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના પોલીસ કર્મચારીઓનું દર વર્ષે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં અમદાવાદના પોલીસ કર્મચારીઓમાંથી 30 ટકા વ્યસનના બંધાણી અને જુદી જુદી બીમારીઓનો શિકાર હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું 2006 ના વર્ષથી દર વર્ષે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેના માટે દરેકને હેલ્થ કાર્ડ પણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. શાહીબાગ ખાતેની પોલીસ વેલ્ફેર હોસ્પિટલ તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું દર વર્ષે ફ્રી માં મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.

2018 - 2019ના વર્ષમાં અમદાવાદના 6000 પોલીસ કર્મચારીઓનું મેડિકક ચેકઅપ થયુ હતુ. જેમાંથી 1530 પોલીસ કર્મચારીઓ વ્યસનના બંધાણી, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મસા , ભગંદર, ચામડીના રોગથી પીડાતા હોવાનું તેમના મેડિકલ રિપોર્ટમાં પૂરવાર થયુ છે.

મેડિકલ ચેકઅપ પછી હેલ્થ કાર્ડમાં એન્ટ્રી કરાય છે
પોલીસ વેલ્ફેર હોસ્પિટલના ડોક્ટર મનોજ પટેલના જણાવ્યા અનુસાર પોલીસ કર્મચારીઓનું દર વર્ષે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં પોલીસ વેલ્ફેર હોસ્પિટલ તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં ટેસ્ટ કરાવવામાં આવે છે. બધા જ ટેસ્ટ અમારી હોસ્પિટલમાં થતા નહીં હોવાથી ટાઈઅપ થયેલી હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓને અમુક ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. જ્યારે અમારી હોસ્પિટલમાં જે પણ પોલીસ કર્મચારીના મેડિકલ ચેકઅપ થાય છે તેના રિપોર્ટની એન્ટ્રી પોલીસ કર્મચારીઓના હેલ્થ કાર્ડમાં કરવામાં આવે છે.

પાન-મસાલા, ગુટખાના વ્યસનથી 50 પોલીસનું મોંઢું પણ પૂરેપૂરું ખૂલતું નથી
પોલીસ કર્મચારીઓમાં પાન, મસાલા, બીડી, સિગારેટ તેમજ દારૂ પીવાની ટેવ બહુ સામાન્ય બાબત છે. આવા વ્યસનના કારણે પોલીસ કર્મચારીઓમાં મોંઢું ઓછું ખૂલતું હોવાનું પ્રમાણ વધ્યું છે. 6000 પોલીસ કર્મચારીઓમાંથી 50 એવા છે કે જેમને મોઢું ઓછું ખુલતું હોવાની સમસ્યા થઇ છે.

ખાવા-પીવાની અનિયમિતતાથી બીમારી
પોલીસ કર્મચારીઓની નોકરી 8 કલાકની હોય છે. પરંતુ દરેક પોલીસ 2થી 15 કલાક નોકરી કરે છે. નોકરીના સમયની અનિયમિતતાથી તેમને ખાવા, પીવા તેમજ સૂવાનો સમય પણ અનિયમિત બની જાય છે. જેના કારણે પોલીસ કર્મચારીઓમાં બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post