અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનના રોજ હિંદી, તમિળ, તેલુગુમાં રિલીઝ થશે
ગીરસોમનાથ: બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને લઇને સોમનાથની મુલાકાતે આવ્યો છે. સોમનાથમાં ભોળાનાથના દર્શન કરીને
આશીવાર્દ મેળવ્યા છે. અક્ષય કુમારની સાથે બોલિવુડ એક્ટ્રેસ માનુષી છિલ્લર પણ હાજર
રહી.
સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે: અક્ષય કુમાર
ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના દર્શન
કરીને અભિનેતા અક્ષય કુમાર ભાવવિભોર થયો હતો. આ તકે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના
દર્શનના અનુભવનું વર્ણન કરતા જણાવ્યું હતું કે,
સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે. આપ મંદિરની અંદર
પ્રવેશ કરો એટલે ઉર્જાનો અનુભવ કરો છો, સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે.
ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી થોડા વર્ષોમાં સોમનાથને લગતુ કન્ટેન્ટ નિર્માણ
કરશે
આ સાથે જ 'સમ્રાટ પૃથ્વીરાજ' મુવીના ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સોમનાથના અનુભવને અભુતપૂર્વ ગણાવ્યો
હતો. થોડા વર્ષોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને લગતુ કન્ટેન્ટ પોતાના દ્વારા
નિર્માણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. સમ્રાટ પૃથ્વીરાજ મુવીથી પોતાનું ડેબ્યુ
કરનારી મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર દ્વારા પૃથ્વીરાજ મુવીને સ્ત્રી સશક્તિકરણનું
સાચું ઉદાહરણ ગણાવવામાં આવી હતી.સોમનાથ મહાદેવને ચડાવવામાં આવતા દુધ ફળો સહિતની
સામગ્રી ગરીબોને આપી દેવા અક્ષય કુમારે સોમનાથ મંદિર ટ્રસ્ટને સુચન કર્યુ હોવાનું
અને ટ્રસ્ટે વિનંતીને ગ્રાહ્ય રાખી હોવાનું ડિરેક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ
જણાવ્યુ હતુ.
3 જૂનના
રોજ ફિલ્મ રિલીઝ થશે
અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનના રોજ હિંદી, તમિળ, તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મના
અક્ષટ કુમાર પ્રમોશન માટે વારાણસી જઇને ગંગામાં ડૂબકી પણ લગાવી હતી. ત્યારે હવે
અક્ષય કુમાર ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવવા સોમનાથ આવ્યો છે. અક્ષય કુમારે ફિલ્મમાં
પૃથ્વીરાજ ચૌહાણનો રોલ ભજવ્યો છે. માનુષી ફિલ્મમાં સંયોગિતના રોલમાં છે. આ ઉપરાંત
ફિલ્મમાં સોનુ સૂદ, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, સંજય દત્ત, માનવ વિજ લીડ રોલમાં છે.