સેનાને પુલવામાના બંદૂજ વિસ્તારમાં અંદાજે 5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી
પુલવામા: જમ્મુ-કાશ્મીરના પુલવામા
જિલ્લામાં સેના અને આતંકી વચ્ચે મંગળવારે વહેલી સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
તેમાં અત્યાર સુધી બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં CRPFના એક જવાન પણ શહીદ થયા
છે. અત્યારે હાલ એન્કાઉન્ટર ચાલે છે અને બંને બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે.
ન્યૂઝ
એજન્સીના જણાવ્યા પ્રમાણે,
સેનાને
પુલવામાના બંદૂજ વિસ્તારમાં અંદાજે 5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. ત્યારપછી પોલીસ
અને અર્ધસૈન્યબળે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ
ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ મહિને પાકિસ્તાનના
ફાયરિંગમાં ચોથો જવાન શહીદ થયો
આ
મહિને પુંછ અને રાજૌરીમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં દેશનો આ ચોથો
જવાન શહીદ થયો છે. સોમવારે પણ નૌશેરામાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં ફોરવર્ડ
પોસ્ટ પર તહેનાત એક જવાન શહીદ થયો હતો. રાજૌરીમાં 4 જૂન અને 10 જૂને બે જવાન શહીદ થયા
હતા. ત્યારપછી 14
જૂને
પુંછ જિલ્લામાં એક જવાન શહીદ થયા હતા. આ વર્ષે 10 જૂન સુધી જમ્મુ-કાશ્મીરમાં
પાકિસ્તાન તરફથી 2027
વખત
ગોળીબાર કરવામાં આવ્યો.
4 મહિનામાં 4 આતંકી સંગઠનોના મુખિયાને
મારવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં
છેલ્લા 4
મહિનામાં
મુખ્ય આતંકી સંગઠનોના 4
મુખિયાઓને
ઠાર કરવામાં આવ્યા છે. ગયા રવિવારે જમ્મુ કાશ્મીર પોલીસે હિજબુલ મુઝાહિદ્દીન અને
ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 3 આતંકીઓને ઠાર કરી દીધા હતા. તેમાંથી હિજબુલનો મુખિયા
હતો. ત્યારપછી જમ્મુ-કાશ્મીર આઈજી વિજય કુમારે જણાવ્યું છે કે, 4 મહિનામાં લશકર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુઝાહિદ્દીન અને
અંસાર ગજવત-ઉલ હિંદના મુખિયાને મારવામાં આવ્યો છે.