જોકે સરકાર વારંવાર કહી રહી છે કે દેશમાં કોરોનાનો ચેપ સામુદાયિક સ્તરે ફેલાયો નથી
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 10:06:24
નવી દિલ્હી: દેશમાં લૉકડાઉન
ખૂલવાની શરૂઆત સાથે જ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ડરાવનારી માહિતી આપી છે. તેમણે દાવો
કર્યો છે કે દેશમાં કોરોના વાઈરસનો સામુદાયિક સ્તરે ચેપ ફેલાયો હોવાની પુષ્ટી થઈ
ચૂકી છે. જોકે સરકાર વારંવાર કહી રહી છે કે દેશમાં કોરોનાનો ચેપ સામુદાયિક સ્તરે
ફેલાયો નથી.
વડાપ્રધાન મોદીને રિપોર્ટ સોંપાયો
ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન, ઈન્ડિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન અને ઈન્ડિયન એસોસિયેશન
ઓફ એપિડેમિયોલોજિસ્ટના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક રિપોર્ટ વડાપ્રધાન
મોદીને સોંપાયો છે.