ઘટતા કોરોના કેસ વચ્ચે રાજ્યમાં આજથી આંશિક અનલૉકની શરૂઆત થશે. સાથે જ આજથી રાત્રી કરફ્યૂના પાંચમા તબક્કાની પણ શરૂઆત થશે. રાજ્ય સરકારે કરેલા નિર્ણય મુજબ સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે.
Gujarat
Unlock: ગુજરાતમાં
સતત બે મહિના કરતા વધારે સમય સુધી કોરોનાની બીજી લહેરે સપાટો
બોલાવ્યો. બીજી લહેરમાં અનેકે પોતાની જીંદગી ગુમાવી તો અમુક માંડ બચીને બહાર
નિકળ્યા. સરકાર માટે પણ અનેક પ્રશ્નો સર્જાયા. જો કે હવે તજજ્ઞો જે રીતે માને છે
તે પ્રમાણે આ લહેરની પીક નિકળી ગઈ છે. આ સાથે જ સરકારનાં શ્વાસમાં પણ ઓક્સિજન
આવ્યો છે.
ઘટતા
કોરોના કેસ વચ્ચે રાજ્યમાં આજથી આંશિક
અનલૉકની શરૂઆત થશે. સાથે જ આજથી રાત્રી કરફ્યૂના પાંચમા તબક્કાની પણ શરૂઆત થશે.
રાજ્ય સરકારે કરેલા નિર્ણય મુજબ સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે. આ નિર્ણય આગામી 27મી મે સુધી અમલી રહેશે
અને 28મી તારીખે રાજ્ય સરકાર
છૂટછાટ અંગે પૂર્નઃવિચાર કરીને નવો નિર્ણય કરશે.
પીપાવાવ
ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે નાના મોટા લારી-ગલ્લા
અને વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની સ્થિતિ જોઇને આ નિર્ણય લેવાયો છે. જોકે
તેઓએ નિયમોના પાલન પર ભાર મુક્યો છે અને ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા
સેનિટાઇઝેશન જેવા નિયમોના કડક પાલનની વાત કરી છે, જો આ નિયમોનો ભંગ થતો
જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ
છે કે રાજ્યની 8
મહાનગર
પાલિકા સહિત 36
શહેરોમાં
રાત્રી કરફ્યૂ યથાવત રહેશે. તો આ તરફ રાજ્ય સરકારના નિર્ણયને વેપારીઓએ આવકાર્યો છે
અને વેપારીઓએ આગામી દિવસોમાં વધુ છૂટ મળે તેવી રાજ્ય સરકાર સમક્ષ આશા પ્રગટ કરી
છે.
રાજ્ય
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલીઝ પ્રમાણે મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા
સંદર્ભે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો
લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે
જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની
વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા
તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત
નિયંત્રણો વધુ ૭ દિવસ માટે યથાવત રાખવાનો અને કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો
નિર્ણય કર્યો છે.
આ
૩૬ શહેરોમાં તા.૨૧ મે-ર૦ર૧ થી તા. ૨૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/
પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી
રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
મેડીકલ, પેરામેડીકલ તથા તેને
આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
રાજ્યમાં
ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ – આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા
દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે
અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા
તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ
માર્કેટ ચાલુ રહેશે.
કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય
સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની
ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ
અને હોટેલ ચાલુ રહેશે. રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ અને હોમ
ડિલિવરી સવારે ૯થી રાત્રે ૮ સુધી ચાલુ રહેશે. રાજ્યના નાના-મોટા વેપારીઓ, દુકાનદારો અને
લારી-ગલ્લા ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા જાહેર કર્યુ છે કે આ ૩૬ શહેરોમાં
આ નિયંત્રણો દરમિયાન દુકાનો-વાણિજયીક સંસ્થાઓ-રેસ્ટોરન્ટ-લારી ગલ્લાઓ-શોપીંગ
કોમ્પ્લેક્ષ-માર્કેટીંગ યાર્ડ-હેર કટીંગ સલુન-બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારીક
ગતિવિધિઓ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
રાજયમાં
કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ.
રીપેરર્સ,
સ્ટોક
એક્સચેન્જ,
સ્ટોક
બ્રોકરો,
ઈન્સ્યોરન્સ
કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી
સુનિશ્ચિત કરવાની રહેશે.
આ
શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત
સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક
મિડીયા, ન્યુઝ પેપર
ડીસ્ટ્રીબ્યુશન,
પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. /
સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને
સંબંધિત ટ્રાન્સપોર્ટેશન,
ડિસ્ટ્રીબ્યુશન
અને રીપેરીંગ સેવાઓ,
પોસ્ટ
અને કુરીયર સર્વિસ,
ખાનગી
સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.
૩૬
શહેરોમાં પશુ આહાર,
ઘાસચારો
તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા
વ્યવસ્થા,
તમામ
આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે.
આંતરરાજ્ય, આંતરજિલ્લા અને
આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.
રાજ્યમાં
ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી
તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ
રાખવાનો નિર્ણય કર્યો છે,
તેમના
સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક
સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે
દરમિયાન COVID-19
સંબંધીત
માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ
સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક
મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર
રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સ્પા, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત
તમામ પ્રકારના Malls
તથા
Commercial
Complexes બંધ
રહેશે.
સમગ્ર
રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા
ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક
સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા
બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT
PORTAL પર
નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
અંતિમક્રિયા/દફનવિધિ
માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ
સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ
સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાનો
જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક
સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
પબ્લિક
બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. ગુજરાતમાં તમામ
નાગરિકોને ફેસ કવર,
માસ્ક
અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરીને તેમજ વેકસીનેશન કરાવીને કોરોના
સંક્રમણથી મુકત રહેવા પણ મુખ્યમંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.