• Home
  • News
  • સુરતમાં પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈએ યુવકની હત્યા કરી, આરોપી મૃતદેહને ગોડાઉનમાં સંતાડી દઈ કલર કરવા લાગેલો
post

ગળુ દબાવી માથાના ભાગે લોખંડની ટોમીના પાંચ ઘા મારીને હત્યા કરાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 15:39:21

સુરતના ખજોદ વિસ્તારમાં બની રહેલા ડાયમંડ બુર્સની બિલ્ડીગમાં કલર કામ કરતાં શ્રમિકે બીજાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈની માસિયાઈ ભાઈએ જ હત્યા કરી હોય છે. ગળુ દબાવી માથાના ભાગે લોખંડની ટોમીના પાંચ ઘા મારીને હત્યા કરવામાં આવી હોય છે. હત્યા બાદ આરોપીએ મૃતદેહને ગોડાઉનમાં કલરના ડબ્બા પાછળ સંતાડી દઈને ઉપર સિમેન્ટની ગુણો મૂકી દઈ સંતાડવા પ્રયાસ કર્યો હોય છે. મૃતક વિષે તેના મામાએ પૂછતાં હત્યાના આરોપી ભાણેજે કહ્યું કે, મેં તેની હત્યા કરી છે. હત્યા અંગે મામા ઈમરાને પૂછપરછ કરતાં તેણે કહ્યું કે, મારી પત્ની સાથે વાત કરતો હોવાથી હત્યા કરી છે.હાલ સમગ્ર હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બપોરે જમ્યા બાદ મૃતક દેખાયો નહોતો
મૃતક વસીમના મામા ઈમરાને કહ્યું કે, ખજોદા ખાતે નિર્માણાધિન ડાયમંડ બુર્સની બિલ્ડિગમાં કલરકામ કરી રહ્યાં હતાં. ગતરોજ બપોરે જમીને ફરી કામે ચડ્યા ત્યારે વસીમ કામ પર આવ્યો નહોતો. જેથી સમીરની પૂછ્યું હતું. સમીર અને વસીમ માસીયાઈ ભાઈ છે. સમીરે કહ્યું કે મેં તેની હત્યા કરી છે. હત્યાનું કારણ પૂછતાં તેણે કહ્યું કે મારી પત્ની સાથે વાત કરતો હોવાથી તેની હત્યા કરી છે.મૃતક 10 દિવસ અગાઉ જ વતન યુપીથી આવ્યો હતો.મૃતકના લગ્ન નહોતા થયાં.

શરૂઆતમાં મામાને ગેરમાર્ગે દોર્યા હતા
આ ઘટના અંગે તેના મામા ઇમરાન અલી નૌશેઅલી પઠાણએ જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સમાં કલર કામ કરીએ છીએ. ત્યાં બંન્ને ભાણીયા વસીમ અને સમીર કામ કરતા હતા. હું ઉપરના માળે કામ કરી રહ્યો હતો.12.30 કલાકે સમીરનો ફોન આવ્યો હતો. અને કહ્યું હતું કે વસીમ પાણી પીવા માટે ગયો છે. ત્યારબાદ પરત આવ્યો નથી. જે મેં તેને કહ્યું કે ત્યાં જ હશે તું જો, તારી સાથે તો કામ કરતો હતો. ત્યારબાદ તે શોધવા પણ ગયો હતો. અને ત્યારબાદ 1 વાગે અમે ઘરે જમવા ગયા હતા. ત્યારબાદ સમીર પણ ઘરે આવી જાય છે. ત્યારે ફરી એક વખત મેં સમીરને વસીમ અંગે તેને પૂછ્યું હતું તો તેણે જણાવ્યું હતું કે વસીમ મને મળ્યો જ નથી. અને પાછા 2 વાગ્યે અમે જમીને બિલ્ડીંગમાં કામ અર્થે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેની લાશ મળી આવી હતી.

હત્યા કરી લાશને છુપાવી દીધી હતી
સમીરે વસીમની હત્યા કરી લાશને બેજમેન્ટના કલર સ્ટોર રૂમમાં છુપાવી દીધી હોવાની જાણ કરી હતી જેથી લોકો ત્યાં પહોચ્યા હતા અને જોયું તો વસીમની લાશના ગળાના ભાગે ફંદો લગાવેલો હતો. અને આંખના ઉપરના ભાગે સેન્ટીંગ જેકનો લોખંડનો રોડ મારેલો હતો. અને તેની લાશને સ્ટોરમાં છુપાવી દીધી હતી. અને તેની લાશની ઉપર 30 કિલોના વજનવાળા કટ્ટા મૂકી દીધા હતા. આ મામલે પોલીસે તેના મામા ઇમરાન અલી નૌશેઅલી પઠાણની ફરિયાદના આધારે આરોપી સમીરને અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post