લૉકડાઉન પૂર્વે દર અઠવાડિયે દેશમાં મોતિયાનાં 5,243 ઓપરેશન થતાં હતા
નવી દિલ્હી: કોરોના સંક્રમણનો ડર, પરિવહન સેવાનો અભાવ તથા નાણાભીડના કારણે લૉકડાઉન દરમિયાન આયુષ્માન યોજનાનો લાભ લેનારાઓની સંખ્યામાં 64% ઘટાડો થયો. મોતિયાનાં ઓપરેશન તો લગભગ બંધ જ થઇ ગયાં. બીજાં ઓપરેશનો પણ 80થી 90% ઘટી ગયાં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 5 લાખ રૂ. સુધીના મફત સ્વાસ્થ્ય વીમાનો લાભ લેનારા બહુ ઘટી ગયા.
લૉકડાઉન પૂર્વે દર અઠવાડિયે દેશમાં મોતિયાનાં 5,243 ઓપરેશન થતાં
હતાં. જ્યારે
લૉકડાઉનના પ્રથમ અઠવાડિયામાં દેશભરમાં માત્ર 50 લોકોએ આ
ઓપરેશન કરાવ્યાં. તેમાં દેશમાં 99% ઘટાડો નોંધાયો. ની
અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવનારાઓની સંખ્યા 97% ઘટી.
લૉકડાઉન પૂર્વે એક અઠવાડિયામાં 495 લોકો આ સર્જરી
કરાવતા જ્યારે લૉકડાઉનના પ્રથમ અઠવાડિયામાં માત્ર 12 જણે તેનો
લાભ લીધો. બાયપાસ સર્જરી કરાવનારાની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. લૉકડાઉન
પૂર્વે એક અઠવાડિયામાં 3,490 લોકોએ સ્ટેન્ટ લગાવડાવ્યું અને બાયપાસ સર્જરી
કરાવી જ્યારે લૉકડાઉનના પ્રથમ અઠવાડિયામાં 78% ઘટાડા સાથે
માત્ર 774 લોકોએ તેનો લાભ લીધો.