જ્યારે ફક્ત 17% લોકોએ વિપક્ષમાં વિશ્વાસ હોવાની વાત કરી હતી
નવી દિલ્હી: પૂર્વ
લદાખમાં સરહદે ચીન સાથે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર
છે. ચીન વિવાદ મુદ્દે સી-વોટર સ્નેપ પોલમાં લોકોને પૂછવામાં આવ્યું કે હાલના
તણાવને લઈને સરકાર પર વધુ વિશ્વાસ છે કે કોંગ્રેસ પર? સરવેમાં સામેલ 74% લોકોએ
કહ્યું કે અમને મોદી સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે, જ્યારે ફક્ત
17% લોકોએ વિપક્ષમાં વિશ્વાસ હોવાની વાત કરી હતી. 9.6% લોકોએ કહ્યું કે ચીન સાથેનો વિવાદ ઉકેલવાની ક્ષમતા ના તો
વિપક્ષમાં છે અને ના તો અત્યારની સરકારમાં છે.
ચીન ભારત માટે મોટી ચિંતા
·
આ સરવેમાં
મુજબ, મોટી સંખ્યામાં ભારતીયો માને છે કે પાકિસ્તાનની તુલનામાં
ચીન દેશ માટે મોટી મુશ્કેલી છે. 68% ભારતીયોનું કહેવું છે કે
પાકિસ્તાનની તુલનામાં ભારત માટે ચીન ચિંતાનો વિષય છે, જ્યારે 32% લોકોનું માનવું છે કે ચીન નહીં, પરંતુ પાકિસ્તાન જ ભારત માટે વધુ ચિંતાજનક છે.
·
સરવેમાં
લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે ભારત સરકારે ચીનના દબાણમાં
જવાબ આપવા યોગ્ય પગલાં લીધાં છે? આ મુદ્દે 39%થી વધુ ભારતીયોએ ‘હા’માં જવાબ આપ્યો અને કહ્યું કે ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા પછી મોદી સરકારે ચીનને જડબાતોડ જવાબ
આપ્યો. જોકે, 60%નું માનવું છે કે, ચીનને હજુ
ભારતે જડબાતોડ જવાબ નથી આપ્યો અથવા ભારતના સૈનિકોની હત્યાનો બદલો લેવાનો હજુ બાકી
છે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે 72.6% લોકોને મોદી પર વિશ્વાસઃ આ સરવેમાં
નોંધવામાં આવ્યું છે કે 72.6% લોકોએ કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને લઈને મોદી
પર તેમને વિશ્વાસ છે, જ્યારે 14.4% લોકો કહે છે કે તેમને રાહુલ
ગાંધીમાં કંઈક વિશ્વાસ છે.
68% એ કહ્યું- લોકો ચીનના માલનો બહિષ્કાર કરશેઃ આ સર્વેક્ષણમાં સામેલ 68% લોકોનું
માનવું છે કે ભારતના લોકો ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરશે, જ્યારે 31% લોકો કહે છે કે ચીનની
ચીજવસ્તુઓ ખરીદવાનું ચાલુ જ રાખીશું, ભલે કંઈ પણ
થઈ જાય.