ભારે વરસાદને પગલે ગિરનાર પર્વત પર અનેક સીલાઓ તેમજ પથ્થર સીડી પર આવી ગયા છે
Written By newsonline | Ahmedabad | Published: 2021-09-22 10:36:59
ગરવા ગિરનાર સ્થિત 1700 પગથિયા નજીક દિવાલ ધરાશાયી થઇ છે. અગાઉ તાઉતે વાવાઝોડાના પગલે ગિરનારની અનેક
જગ્યા, કાચી દૂકાનો તેમજ સીડીને નુકસાન થયું હતું. આ દિવાલમાં
ગાબડું પડ્યાનો અહેવાલ જૂન મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. હાલ છેલ્લા 1 સપ્તાહથી ગિરનાર પર વરસાદી માહોલ સર્જાયો છે.
ભારે વરસાદને પગલે ગિરનાર પર્વત પર અનેક સીલાઓ તેમજ પથ્થર સીડી પર આવી ગયા છે.
1700 પગથિયા પરની દિવાલમાં ગાબડું હોય
આખરે આ દિવાલ ધરાશાયી થઇ છે. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. તંત્ર પાસે અઢી માસનો
સમયગાળો હતો. પરંતું તંત્ર દ્વારા કોઇ સમારકામ કરવામાં ના આવતા આ સ્થિતીનું
નિર્માણ થયું છે.