6 તેલના ડબ્બા પણ ચોરી ગયા,સીસીટીવી કેમેરા ઉંધા કરી દીધા
સુરતઃ કોરોનાની માહામારીના લોકડાઉન દરમિયાન
માનદરવાજા પદમાનગરની એક કરીયાણાના ગોડાઉનમાંથી તાળું ખોલી 40 ગુણ ચોખા અને 6 તેલના ડબ્બાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું
છે. રાજુ કરીયાણા નામની દુકાનના ગોડાઉનમાં થયેલી ચોરી બાબતે વેપારીએ જણાવ્યું હતું
કે, ગઈકાલે રાત્રે 7 વાગે પોલીસે દુકાન બંધ કરાવતા તેઓ ઘરે ચાલી
ગયા હતા. આજે સવારે દુકાન અને ગોડાઉન સામે સામે હોવાથી દુકાન ખોલ્યા બાદ ગોડાઉન
ખોલતા જ તમામ ચોખાની ગુણો અને તેલના ડબ્બા ગાયબ થઈ ગઈ હતી. CCTV કેમેરા પણ ઉંધા કરી દેવાયા હતા. કોઈ પરિચિત
વ્યક્તિનું જ કામ કહીં શકાય છે. લગભગ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું લાગી રહ્યું
છે. હાલ સલાબતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈ રહ્યા છે.
લોકો જોવા એકઠાં થયા
ઘટનાની જાણ થતા જ
લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. દુકાન માલિક રાજુભાઇ શ્યામભાઈ આપડે ડીંડોલી એલ એન
પાર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.