• Home
  • News
  • લોકડાઉન દરમિયાન કરીયાણાના ગોડાઉનમાંથી 40 ગુણ ચોખાની ચોરી, જાણભેદુ હોવાની આશંકા
post

6 તેલના ડબ્બા પણ ચોરી ગયા,સીસીટીવી કેમેરા ઉંધા કરી દીધા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 11:46:07

સુરતઃ કોરોનાની માહામારીના લોકડાઉન દરમિયાન માનદરવાજા પદમાનગરની એક કરીયાણાના ગોડાઉનમાંથી તાળું ખોલી 40 ગુણ ચોખા અને 6 તેલના ડબ્બાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. રાજુ કરીયાણા નામની દુકાનના ગોડાઉનમાં થયેલી ચોરી બાબતે વેપારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 7 વાગે પોલીસે દુકાન બંધ કરાવતા તેઓ ઘરે ચાલી ગયા હતા. આજે સવારે દુકાન અને ગોડાઉન સામે સામે હોવાથી દુકાન ખોલ્યા બાદ ગોડાઉન ખોલતા જ તમામ ચોખાની ગુણો અને તેલના ડબ્બા ગાયબ થઈ ગઈ હતી. CCTV કેમેરા પણ ઉંધા કરી દેવાયા હતા. કોઈ પરિચિત વ્યક્તિનું જ કામ કહીં શકાય છે. લગભગ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે. હાલ સલાબતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈ રહ્યા છે.

 

લોકો જોવા એકઠાં થયા

ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. દુકાન માલિક રાજુભાઇ શ્યામભાઈ આપડે ડીંડોલી એલ એન પાર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post