ભરૂચ હાઇવેના વડદલા ગામ પાસે આશરે રાત્રે 1 વાગે અકસ્માત સર્જાયો હતો
Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 11:21:30
ભરૂચ: ભરૂચ હાઈવે પર આવેલા વડદલા ગામ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યાં છે જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને 108
મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ સુરતથી અમદાવાદ તરફ જઇ રહી હતી તે સમય અકસ્માત સજાર્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.