ઈજાગ્રસ્ત વ્યક્તિને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
અમદાવાદ: કૃષ્ણનગરના શિવાજી ચોક પાસે મંગળવારે બપોરે એક રાહદારી ઉપર ગોળીબાર કરીને બે બાઈકસવાર નાસી છૂટ્યા હતા. આ ગોળીબારમાં ઈજા પામનાર યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવકની બે વર્ષ પહેલાના હત્યાના કેસમાં ધરપકડ થઈ હતી અને સાબરમતી જેલમાં કાચા કેદી તરીકે તેને રાખવામાં આવ્યો હતો. ત્રણ મહિના પહેલા તે પેરોલ ઉપર છૂટીને જેલમાંથી બહાર આવ્યો હતો.
પાર્શ્વનાથ ટાઉનશિપ ખાતે
રહેતા
ધર્મેન્દ્ર ઉર્ફે
ધમાભાઈ
બારડ
મંગળવારે સાંજના
ચાર
વાગે
કૃષ્ણનગરના શિવાજી
ચોક
વિસ્તારમાંથી પસાર
થઈ
રહ્યા
હતા
ત્યારે
તેમનો
પીછો
કરી
રહેલા
બે
યુવક
બાઈક
ઉપર
તેમની
પાસે
આવ્યા
હતા,
જેમાં
એક
શખસે
એક
રાઉન્ડ
ફાયરિંગ કરી
ધર્મેન્દ્રને પીઠના
ભાગે
ગોળી
મારી
હતી.
ત્યાર
બાદ
બન્ને
બાઈક
ઉપર
નાશી
છૂટ્યા
હતા.
જોકે
ધર્મેન્દ્રને ગોળી
વાગતા
તે
ઘટના
સ્થળ
પર
જ
પડી
ગયો
હતો.
કૃષ્ણનગર પોલીસે
ઘટના
સ્થળે
આવીને
આસપાસના શિવાજી
ચોક
વિસ્તારના સીટીટીવીના ફૂટેજની તપાસ
કરી
હતી,
જેમાં
ગોળીબાર કરનાર
એકનું
નામ
આદર્શ
ઉર્ફે
છોટુ
ચૌહાણ
હોવાની
વિગતો
જાણવા
મળી
હતી.